Abtak Media Google News

દંપતીના ઝઘડામાં નવજાત શિશુને ત્યજી માતા માવતરે જતી રહી: યુવાનની હાલત ગંભીર

મોરબીના ગામે રિસામણે ગયેલી પત્નીને તેડવા જતા પત્ની પરત ન આવતા પતિએ પોતાની જાતે જ પેટના ભાગે છરીના ઘા શીખી દેતા એને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે દંપતિના ઝઘડામાં નવજાત શિશુને ત્યજીને માતા માવતરએ જતી રહી હતી.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મોરબીમાં રહેતા અને રીક્ષા ચલાવતા નવધનભાઈ ભગુભાઈ લાકડીયા નામના 35 વર્ષના યુવાને પત્ની તેજલના માવતર રવાપર ગામે પોતાની જાતે જ પેટના ભાગે છરીના ઘા મારી દેતા તેને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

નવઘણભાઈ લાકડીયાના પરિવારજનોએ જણાવ્યું હતું કે નવઘણભાઇ અને તેની પત્ની તેજલ વચ્ચે ઝઘડો થતા પત્ની આઠ માસના માસુમને ત્યજી માવતરે જતી રહી હતી. જેથી ગઇ કાલે પતિ નવઘણભાઈ રિસામણે રહેલી પત્ની તેજલને તેડવા રવાપર ગયા હતા. પરંતુ પત્નીએ આવવા માટે ઈનકાર કરતા નવઘણ ભાઈએ પોતાની જાતે જ પોતાને પેટના ભાગે છરીના ઘા ઝીંકી દેતા તેઓને લોહિયાળ હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.  પોલીસે ઘટનાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.