Abtak Media Google News

જિલ્લાા રોજગાર કચેરી-અમરેલી દ્વારા તા.૨૪ મે-૨૦૧૮ને ગુરૂવારના રોજ બપોરે ૧૨ કલાકે ધારી તાલુકા મથકે યોગીજી મહારાજ આર્ટસ અને કોમર્સ કોલેજ ખાતે ભરતી મેળો યોજાશે. જેમાં ધો.૮ થી ધો.૧૨ પાસ ધો.૧૦-ધો.૧૨ પાસ, આઇ.ટી.આઇ.ના ફિટર/ઇલેકટ્રીશ્યન ટ્રેડની લાયકાત ધરાવતા અને ૧૮ થી ૩૫ વર્ષની વયજૂથના યુવાનો ભાગ લઇ શકશે.

આ ભરતી મેળામાં સીન્ટે ક્ષ ઇન્ડઆસ્ટ્રીષઝ (યાર્ન ડિવીઝન)-લુણસાપુર કંપની માટે એપ્રેન્ટિીસ તરીકે આઇ.ટી.આઇ.ના ફિટર/ઇલેકટ્રીશ્યન ટ્રેડની લાયકાત ધરાવતા, ૧૮ થી ૩૫ વર્ષ, જે.વી. મેનેજમેન્ટ -અમદાવાદને લાઇન ઓપરેટર તરીકે ધો.૧૦ પાસ, ધો.૧૨ પાસ અને આઇ.ટી.આઇ.નો કોર્સ કરેલ ૧૮ થી ૨૫ વર્ષ, વેલસ્પુસન ઇન્ડિયયા લિમિ.-અંજારને ટ્રેઇની-ઓપરેટર તરીકે ધો.૮ થી ધો.૧૨ પાસની લાયકાતવાળા ૧૮ થી ૨૬ વર્ષની વય ધરાવતા ઉમેદવારોની જરૂરિયાત છે. વધુ વિગતો-માહિતી માટે જિલ્લા રોજગાર કચેરી, બહુમાળી ભવન, સી બ્લોક- પ્રથમ માળ, રાજમહેલ કમ્પાિઉન્ડ -અમરેલીનો સંપર્ક કરવા, જિલ્લા રોજગાર અધિકારીશ્રી-અમરેલીની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.