Abtak Media Google News

અમરેલી તા. 16 જુલાઈ,2022 (શનિવાર) અમરેલી તાલુકાની પ્રાથમિક શાળાઓના મધ્યાહન ભોજન કેન્દ્રોમાં સંચાલક, રસોઇયા, મદદનીશની ખાલી જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી છે. અમરેલી તાલુકાની ખડખંભાળીયા, જૂના ગીરીયા , ચાંદગઢ, તરવડા, કેરાળા, માળીલા, મોણપુર,  રંગપુર, રીકડીયા, સદગુરુ પ્રા.શાળા – વરસડા, સાંગાડેરી, સણોસરામાં સંચાલકની જગ્યાઓ માટે અરજી મંગાવવામાં આવી છે. સંચાલક માટે ધો.10 પાસ સ્થાનિક વ્યક્તિઓ અને ધો.7 પાસ હોય તેવી વ્યક્તિઓ અરજી કરી શકે છે.

અમરેલી તાલુકાની તરવડા, કેરાળા, જેશીંગપરા-ક્ધયા, રામનગર-વરસડા, નાના આંકડીયા, નાના ગોખરવાળા, માળીલા, મોણપુર, સદગુરુ પ્રાથમિક શાળા-વરસડા, સાંગાડેરીમાં રસોઇયાની આવશ્યકતા છે. જેમાં સ્થાનિક ઉમેદવારો અને અનુભવી અરજી કરી શકે છે. ઉપરાંત અમરેલી તાલુકા ક્ધયાશાળા-1, ક્ધયાશાળા-2, ગાવડકા, કેરાળા,પોલીસ લાઈન-અમરેલી,સુખનિવાસ કોલોની- અમરેલી, માળીલા, ચાડીયા, જેશીંગપરા-કન્યા, તરવડા, રામનગર-વરસડા, નાના આંકડીયા, નાના ગોખરવાળા, નાના માચીયાળા, મોણપુર, રાજસ્થળી કેરીયાનાગસ, હરીપુરા, સાંગાડેરી, સદગુરુ પ્રા.શાળા-વરસડામાં મદદનીશની આવશ્યકતા છે. આ પદ માટે સ્થાનિક અનુભવી ઉમેદવારો અરજી કરી શકે છે. આ ભરતી માટે નમૂનાનું અરજીપત્રક  મામલતદાર કચેરી, જિલ્લા સેવા સદન, ગ્રાઉન્ડ ફ્લોર રાજમહેલ કમ્પાઉન્ડમાં તા.22  બપોરે 3 વાગ્યા પહેલા મોકલવું તેમ મામલતદાર અમરેલીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.