Abtak Media Google News

સર્વે કુટુંબીજનોને હાજરી આપવા અનુરોધ: આગેવાનો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે

જુદા જુદા શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમાં વસતા લેઉવા પટેલ સમાજના સમસ્ત લેઉવા પટેલ વૈષ્ણવ પરિવાર દ્વારા સુરાપુરા દાદા પૂ. હરખાબાપાના સાનિધ્યમાં રાદડ ગામ મુકામે આગામી તા.૩૧ માર્ચ ૨૦૧૯, રવિવારના રોજ સવારે ૭ થી બપોરે ૧ સુધી લઘુ‚દ્ર યજ્ઞ તથા પરિવાર ડિરેકટરી વિમોચનનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.

આપણે સરદાર વલ્લભભાઈ પટેલના વંસજ હોઈ તેમનું સપનું સમાજને જોડવાનું હોય નહી કે તોડવાનું એવા શુભ આશયથી આપણા ટ્રસ્ટ દ્વારા સમસ્ત લેઉઆ પટેલ વૈષ્ણવ પરિવારોને એક કરવા માટે કરેલા આ ભગીરથ કાર્યમાં વૈષ્ણવ પરિવારને સંગઠીત કરી આપણા સમાજને ઉપયોગી આયોજનોને પાર પાડવા લેઉઆ પટેલ વૈષ્ણવ પરિવારોને અનુરોધ કરે છે.

વૈષ્ણવ પરિવાર દ્વારા રચાયેલ ટ્રસ્ટનો મુખ્ય ઉદેશ વિદ્યાર્થીઓને સહાય તેમજ તેજસ્વી તારલાઓનું સન્માન સમાજના નબળા પરિવારોને સહાય, બ્લડ ડોનેશન કેમ્પ, સર્વરોગ નિદાન કેમ્પ, મેડીકલ તથા શૈક્ષણીક સહાય તેમજ પરિવારોની સમસ્યાઓનું સમાધાન જેવા જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવાનો છે.

વધુ માહિતી માટે દિનેશભાઈ વૈષ્ણવ મો. ૯૭૨૬૫ ૬૧૬૯૭, અશોકભાઈ વૈષ્ણવ મો. ૯૯૨૫૨ ૯૯૯૬૬, રાજેશ વૈષ્ણવ, સમીરભાઈ વૈષ્ણવ, હરેશભાઈ વૈષ્ણવનો સંપર્ક કરવો.આ કાર્યક્રમ માટે વી.પી. વૈષ્ણવ પ્રાગજીભાઈ વૈષ્ણવ, દામજીભાઈ વૈષ્ણવ, અશોકભાઈ વૈષ્ણવ, તેમજ ધોરાજી, જેતપૂર, જેતલસર, જામનગર, ઉકરડા, જાંબુડા, પ્રેમપરા, ધારી વગેરે ગામના ભાઈઓએ જહેમત ઉઠાવી છે. કાર્યક્રમને સફળ બનાવવા અગ્રણી પરિવારજનો ‘અબતક’ના આંગણે પધાર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.