Abtak Media Google News

ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીની અધ્યક્ષતામાં આજે સવારે ભાજપા પ્રદેશ કાર્યાલય “શ્રી કમલમ ખાતે પ્રદેશના મુખ્ય અગ્રણીઓની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જેમાં આગામી કાર્યક્રમો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ત્યારબાદ બપોરે ૧૨.૦૦ વાગ્યા થી સાંજ સુધી ભાજપા પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ કોબા, ગાંધીનગર ખાતે પ્રદેશ બેઠક યોજાશે.

જેમાં ગત સમયમાં યોજાયેલ સંગઠન સંરચનાની કામગીરી, સેવા સપ્તાહ કાર્યક્રમો, નનામિ દેવી નર્મદે કાર્યક્રમો, પંડિત દીનદયાળ ઉપાધ્યાયજી જન્મજયંતિ કાર્યક્રમો તથા સંપર્ક અભિયાન જેવા કાર્યક્રમો અંગે ચર્ચા-વિચારણા કરી માર્ગદર્શન આપવામાં આવશે તેમજ આગામી ૨૮ ઓક્ટોબરથી ૧૦ નવેમ્બર ૨૦૧૯ સુધી ભાજપા દ્વારા જીલ્લા કક્ષાએ દર વર્ષની જેમ દિવાળી સ્નેહમિલન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે, જેમાં જમ્મુ-કાશ્મીર અને નર્મદાના સંદર્ભમાં ડોક્યુમેન્ટરી બનાવવામાં આવશે તેમજ જે-તે જિલ્લાકક્ષાએ કરવામાં આવેલ ત્રણ વર્ષની વિકાસલક્ષી કામગીરી અંગેની પ્રદર્શની મુકવામાં આવશે.

ભરત  પંડ્યાએ જણાવ્યુ હતુ કે, આ પ્રદેશ બેઠકમાં પ્રદેશ હોદ્દેદારો, મોરચાના પ્રદેશ પ્રમુખ, જીલ્લા/મહાનગરના પ્રભારી, જીલ્લા/મહાનગરના પ્રમુખ-મહામંત્રી, સંગઠન પર્વના પ્રદેશ અને ઝોન ઇન્ચાર્જ-સહઇન્ચાર્જ, સંગઠન પર્વના જીલ્લા/મહાનગરના ઇન્ચાર્જ તથા પ્રદેશ દ્વારા નિયુક્ત કરેલ જીલ્લા/મહાનગરના સંરચના અધિકારીઓ તથા સહ અધિકારીઓ ઉપસ્થિત રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.