Abtak Media Google News

પ્રદેશ ભાજપના ૩ હજાર કાર્યકરો અધિવેશનમાં ભાગ લેશે, કાર્યકરોની રહેવા, જમવા અને ટ્રાન્સપોર્ટની વ્યવસ્થાને અપાતો આખરી ઓપ

હૈદરાબાદમાં ભાજપ દ્વારા તા.૨૬થી ત્રિદિવસીય રાષ્ટ્રીય અધિવેશન યોજાનાર છે. જેમાં ગુજરાત પ્રદેશ ભાજપના ૩ હજાર કાર્યકરો ભાગ લેનાર છે. ત્યારે આ તમામ કાર્યકરોને કોઈ અગવડતા ન પડે તે માટે પ્રદેશ ભાજપના ચાર કાર્યકરોની ટીમ તૈયારી સંદર્ભે હૈદરાબાદ પહોચી છે.

હૈદરાબાદમાં તા.૨૬,૨૭,૨૮ના રોજ અટલ યુવા અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ રાષ્ટ્રીય અધિવેશનમાં દેશભરનાં યુવા ભાજપના કાર્યકરો ભાગ લેશે. ગુજરાતમાંથી પણ યુવા ભાજપના ૩ હજાર કાર્યકરો આ રાષ્ટ્રીય અધિવેશનમાં ભાગ લેનાર છે.

સીકંદરાબાદના પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર આ અધિવેશનનાં અધ્યક્ષ સ્થાને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમીતભાઈ શાહ, યુવા ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ પુનમબેન મહાજન ઉપસ્થિત રહેશે. ઉપરાંત ગુજરાતમાંથી યુવા ભાજપ પ્રદેશ અધ્યક્ષ ડો. ઋત્વીજ પટેલની આગેવાનીમાં ૩ હજાર યુવા કાર્યકરો હૈદરાબાદ મુકામે પહોચીને અધિવેશનમાં ભાગ લેશે.

ગુજરાતમાંથી જનાર ૩ હજાર કાર્યકરોને કોઈ અગવડતા ન પડે તે માટે પ્રદેશ યુવા ભાજપની ટીમનાં ધવલ દવે, ગૌતમ ગોસ્વામી, ધવલ આચાર્ય, સત્યદીપસિંહ પરમાર સહિતના કાર્યકરો હૈદરાબાદ પહોચી ગયા છે. તેઓ દ્વારા રહેવા, જમવા, ટ્રાન્સપોર્ટ અને સંગીત સંધ્યાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રાહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.