Abtak Media Google News

પહેલાંના સમયમાં જ્યારે લોકો બિમાર પડતાં શરદી, ઉધરસ, તાવ જેવા રોગો થતાં ત્યારે વિલાયતી દવા લેવાને બદલે ઘરગથ્થુ ઉપાય જ અજમાવતા અને સ્વસ્થ શરીર મેળવતા તો વડીલો જે  ઘરગથ્થુ ઈલાજ કરતાં તેને ફરી આપણે યાદ કરીએ. તાવ, શરદીમાં તુલસી, કાકડામાં હળદર, ઝાડામાં છાશ-જીરૂ, ધાધરમાં કુવાડીયો, હરસ-મસામાં સુરણ, દાંતમાં મીઠું, કૃમિમાં વાવડિંગ, ચામડીમાં લીમડો, ગાંઠમાં કાંચનાર, સફેદ ડાઘમાં બાવચી, ખીલમાં શિમલકાંટા, લાગવા કે ઘામાં ઘા બાજરીયું, દુબળા પણામાં અશ્ર્વગંધા, નબળા પાચનમાં આદુ, અનિંદ્રામાં ગંઠોડા, ગેસમાં હિંગ, અરુચિમાં લીંબુ, એસીડીટીમાં આંબળા, અલ્સરમાં શતાવરી, અળાઈમાં ગોટલી, પેટના દુ:ખાવામાં કાકચિયા, ઉધરસમાં જેઠીમધ, પાંચન વધારવા ફુદીનો, સ્ત્રીરોગમાં એલોવીરા અને જાસૂદ, શરદી-ખાસીમાં અરડૂસી, મોટાપો ઘટાડવા જવ, કિડની સફાઈ કરવા વરીયાળી, તાવ, દમમાં ગલકા, હૃદયરોગમાં દૂધી, કબજીયાત અને ચર્મ રોગમાં ગરમાળો, વાળનું સૌંદર્ય વધારવા જાસૂદ, શરીર પુષ્ટિ માટે અડદ, અનિંદ્રા માટે જાયફળ, લોહી સુધારવા હળદર, ગરમી ઘટાડવા જીરૂ, હિમોગ્લોબીન માટે બીટ અને ફીંડલા, ડાયાબીટીશ માટે ગળો અને આમળાનો ઉપયોગ કરવો.

Advertisement

આપણા પુર્વજો આ બધુ જ વાપરતા અને તેઓને આજકાલની બિમારી ક્યારેય થતી નહીં. આપણે નવી પેઢી કોઈપણ રોગ થાય તો તરત ડોકટર પાસે દોડી જઈએ છીએ. એલોપથી દવા ખાઈ ખાઈને શરીરની રોગપ્રતિકારક શક્તિનો નાશ વાળી દીધો છે. તો દેશી જીવન પર પાછા વળીએ અને સારૂ સ્વાસ્થ્ય મેળવીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.