Abtak Media Google News

આંખ એ આપણા શરીરનું સૌથી મહત્વનું અંગ છે. આંખોથી જ આપણે આ રંગીન દુનિયાને જોઈ શકીએ છીએ. એટલે જ શરીરના અન્ય અવયવોની જેમ આંખોની સંભાળ પણ એટલી જ અગત્યની છે.ટેકનોલોજીના વ્યાપક ઉપયોગથી આંખોનું તેજ નબળું પડે છે.જેનાથી આંખોમાંથી પાણી નીકળવાની સમસ્યા ઉભી થાય છે. ઉપરાંત મોબાઈલ અને લેપટોપના વધુ પડતા ઉપયોગથી આંખોને ચશ્માની જરૂર પડે છે.

૭૫ ટકાથી પણ વધુ લોકો આંખોના કોઈને કોઈ રોગીથી પીડાતા હોય છે. પ્રદુષણને કારણે આંખોમાં ખંજવાળ ,બળતરા અને પાણી નીકળવા જેવી સમસ્યાઓ સર્જાતી હોય છે. આપણાં દાદા પરદાદાના જમાનામાં ઘરેલુ ઉપાયોથી આંખીની સારસંભાળ રાખવામાં આવતી જેના કારણે વર્ષો સુધી સ્વસ્થ આંખોથી વગર ચશ્માંએ તેઓ સારું જોઈ શકતા. આજે પણ જો આ નુસખાઓ અપનાવવામાં આવે તો ચોક્કસ આપણે ચશ્મા વગર સુંદર આંખોથી દુનિયાનો અદભુત નજારો જોઈ શકી.

હાલના સમયમાં આપણે નાના બાળકોને પણ ચશ્મા પહેરેલા જોઈએ છીએ. તેનું એક માત્ર જ કારણ છે વધુ પડતો ઇલેક્ટ્રિક ડીવાઈસનો ઉપયોગ અને આંખોની જાળવણી પ્રત્યે બેદરકારી. આંખોની કામજોરીને કારણે ચશ્મા પહેરવા પડે છે. જેથી અમુક યુવાનોના વૈવિશાળમાં પણ અડચણ આવતી હોય છે.

આંખોનું તેજ વધારવાના રામબાણ ઘરેલુ નુસ્ખા

પગના તળિયે સરસવના તેલની ૧૫ થી ૨૦ મિનિટ માલિશ કરવાથી આંખની રોશની વધે છે. માલિશ દરમિયાન પગના અંગુઠાની માલિશ વધુ કરવી જેથી ઝડપથી ફાયદો થશે.

૨ ચમચી ત્રિફળાને એક રાત માટે પાણીમાં પલાળી બીજા દિવસે એ પાણી વડે આંખો ધોવાથી ચશ્માના નમ્બર ઉતરે છે.

૨ ચમચી ધાણા , ૧ ગ્લાસ પાણી લઈ માટીના વાસણમાં આખી રાત પલળી રાખવું બીજે દિવસે નરણે કોઠે ગાળેલું પાણી પીવાથી આંખોની રોશની વધે છે.

૨ ચમચી આંબળાનો રસ , ૧ ચમચી ગાજરનો રસ મિક્સ કરી દરરોજ સવારે સાંજ જમ્યા બાદ લેવાથી ઝડપથી ચશ્માના નમ્બર ઉતરે છે.

૨૦૦ ગ્રામ બદામ, ૫૦ ગ્રામ મારી દાણા(તીખા) ,૫૦ ગ્રામ વરિયાળી અને ૧૦૦ ગ્રામ સાકારનું મિશ્રણ તૈયાર કરી દરરોજ દૂધ સાથે પીવાથી ટૂંક સમયમાં જ ચશ્માના નમ્બર ગાયબ થઈ જશે.

દેશી ઘી વડે પગના તળિયે અને કાનની પાછળ રેગ્યુલર માલિશ કરવાથી અચૂક ફાયદો થાય છે.

બદામનું તેલ અને ફિલ્ટર એરંડિયાની એક એક ચમચી સરખી માત્રામાં લઈ આંખોની નીચે હળવા હાથે માલિશ કરવાથી આંખીની ખંજવાળ અને બળતરામાં ફાયદો કરે છે.

જો આ પ્રમાણે રાબેતામુજબ ઘર ગથ્થુ ઈલાજ કરવામાં આવે તો ચોક્કસ લેન્સ, ચશ્મા કે ઓપરેશનની જરૂર પડતી નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.