Abtak Media Google News

પાણી છ દિવસે અને અપૂરતા સમયે આવતું હોય સ્થાનિક મહિલાઓ દ્વારા હંગામો

સુરેન્દ્રનગર નગરપાલિકા દ્વારા હાલ કરોડો રૂપિયા ના વિકાસ ના કામો ચાલુ છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા મા જોરાવર નગર અને જિલ્લામાં તમામ શહેરી વિસ્તારમાં નવી પાણી ની લાઈનો નાખવા મા આવી છે ત્યારે આ પાણી ની લાઇન મા અપૂરતું પાણી આવતા હોવા ની અનેક રાવ ઉઠી છે.

સુરેન્દ્રનગર દૂધરેજ પાલિકાના વોર્ડ નંબર ૧૧ માં આવેલા જોરાવનગર કોઝવે વિસ્તારમાં પુરતા પ્રમાણમાં પાણી ન મળતા સ્થાનિક મહિલાઓ રોષની લાગણી ફેલાઇ હતી. પાલિક દ્વારા ૬ દિવસે પણ પુરતા પ્રમાણમાં પાણી વિતરણ કરવામાં ન આવતું હોવાનું મહિલાઓએ જણાવ્યુ઼ હતું અને તંત્ર દ્વારા નિયમિત પાણી વિતરણ નહીં કરાય તો પાલિકાને ઘેરાવની ચીમકી ઉચ્ચારી હતી.

સુરેન્દ્રનગર શહેરમાં જીયુડીસી દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે નવી પાણીની લાઇન નાંખવમાં આવી છે.તેમ છતાં અનેક વિસ્તારમાં પુરતા પ્રમાણમાં પાણી ન મળતું હોવાની ફરીયાદો ઉઠી રહી છે. શહેરના વોર્ડ નંબર ૧૧ માં આવેલા જોરાવરનગર કોઝવે વિસ્તારમાં ૬ દિવસે પણ પુરતા પ્રમાણમાં પાણી ન મળતા સ્થાનિકોમાં રોષની લાગણી ફેલાઇ હતી. અને મહિલાઓએ પાણી વિતરણ કરતા કર્મચારીને ઉગ્ર રજૂઆતો કરી હતી. સ્થાનિક મહિલાઓએ જણાવ્યું કે એક તો ૬ દિવસે પાણી આવે છે અને તે પણ માંડ ૩૦ મિનિટ જ પાણી આવે છે અને પાણી વિતરણનો પણ કોઇ નક્કી સમય નથી ગમે તે સમયે પાણી વિતરણ કરવામાં આવે છે. સ્થાનિક સદસ્યોને રજુઆત કરવા છતાં કોઇ જ કાર્યવાહી કરવામાં આવતી નથી. દિવાળી બાદ નવી પાણીની લાઇન દ્વારા પાણી આપવાનું જણાવ્યું હતું

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.