Abtak Media Google News

સમગ્ર વિશ્વ માં જયારે માટીનું પોષણ મુલ્ક ઘટતું જાય છે ત્યારે દેશના નીતીકારોને મળી માટીને લઇ નીતીમાં સદગુરુ આપશે સુચન

કોઇમ્બતુર સ્થિત ઇશા ફાઉન્ડેશનના સદગુરુ જગ્ગી વાસુદેવ વિશ્વ ભરમાં પોતાના આઘ્યાત્મિક માર્ગદર્શન અને પ્રકૃતિના સંરક્ષણ માટે ખુબ જ વિખ્યાત છે. તાજેતરમાં વિશ્વ ના પ્રખ્યાત વૈજ્ઞાનિકોએ વિવિધ દેશોની માટીના સંશોધના બાદ તેવા તારણ પર આવ્યા કે સમગ્ર વિશ્વ ની માટીનું પોષણ મુલ્ત ઘટતું જાય છે. ગત ર1 માર્ચથી સદગુરુએ આ સમસ્યા સમગ્ર વિશ્વ ને વાકેફ કરાવવા એક અનોખો ઝુંબેશ હોથ ધર્યો છે. જેના હેઠળ તેઓ વિશ્વ ના ર9 દેશોમાં પોતે 30,000 કી.મી. બાઇક ચલાવી દરેક દેશના નીતીકારોને મળી માટીને લઇ નીતીમાં ફેર બદલના સુચનો આપશે તેમની આ ચળવળને વિશ્વ ના બધા જ દેશોએ ખુલ્લા હ્રદયથી આવકાર્યુ છે.

જામનગરના રાજવી જામસાહેબ કે જે ખુદ પ્રકૃતિ પ્રેમી અને સંરક્ષણકર્તા છે. તેઓએ સદગુરુને તેમના વિદેશ પ્રવાસ બાદ જયારે ભારત પરત પધારે ત્યારે જામનગરની પવિત્ર ભૂમિ તેમનું ભવ્ય સ્વાગતકરશે તેવું જણાવેલ. જામસાહેબ બાપુના આમંત્રણને સદગુરુએ ખુબ જ ગૌરવથી સ્વકારી કર્યો છે.એકતાબા સોઢા જે કેડમસ અને સત્યસાંઇ સ્કુલના સી.ઇ.ઓ. અને જામસાહેબના પ્રતિનિધિ છે. તેઓ સદગુરુના ભવ્ય સ્વાગતનું નેતૃત્વ કરશે. સદગુરુ પોતે જામનગરની ધરતી પર પધારે તે આપણા સૌ માટે આશિર્વાદ સમાન છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.