Abtak Media Google News

પોલીસની ભીંસ વધતા પ્રેમી સગીરા સાથે પોલીસમાં હાજર

જૂનાગઢના દામોદર કુંડ પાસેથી એક સગીરાનું અપહરણ કરનાર યુવક ઉપર પોલીસની ભીંસ વધતા આ યુવક સગીરા સાથે પોલીસમાં હાજર થઈ જતા, પોલીસે અને સગીરાના પરિવારજનોએ રાહતનો દમ લીધો હતો.

દામોદર કુંડ ખાતેથી ગત તા. ૨૭ ના રોજ બપોરના સમયે સગીર વયની દીકરીને જોષીપરા ના અગ્રવાતના દવાખાના પાસે રહેતો તેની જ જ્ઞાતિનો સુમિત મનોજભાઈ પરમાર લલચાવી, ફોસલાવી લગ્ન કરવાના ઇરાદે અપહરણ કરી લઇ ગયેલ હતો. જે અંગે શહેર ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે અપહરણની ફરિયાદ દાખલ કરવામાં આવેલ હતી.

આ ગુન્હા અંગે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ ભવનાથ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. એન.કે.વાજા, હે.કો. યુસુફભાઇ, રાજુભાઇ, વિપુલસિંહ, મુકેશભાઈ, મહિલા પો.કો. ઉષાબેન, સહિતના સ્ટાફની ટીમ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવેલ હતી.

પોલીસ તપાસ દરમિયાન આરોપીના સગા સંબંધી મિત્રોની પૂછપરછ દરમિયાન આરોપી અને ભોગ બનનાર સગીરા ઉપર દબાણ આવતા, ભવનાથ પોલીસ ટીમ સમક્ષ પોલીસ સ્ટેશન આવી રજુ થઈ જતા, પોલીસ દ્વારા આરોપી સુમિત મનોજભાઈ પરમારની ધરપકડ કરવામાં આવેલ છે.

પકડાયેલ સુમિત મનોજભાઈ પરમારની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવતા, પકડાયેલ આરોપી સુમિત તથા ભોગ બનનાર એક જ જ્ઞાતિના હોઈ, બંનેના વેવિશાળની વાતચીત ચાલતી હોય, પરંતુ બંને કુટુંબના અમુક માણસો રાજી ના હોઈ, બંનેને પ્રેમ સંબંધ હોઈ, આરોપી અને ભોગ બનનાર સગીરા એકબીજા વગર રહી શકે તેમ ના હોઈ, બંને નાસી ગયેલ હોવાની કબૂલાત કરવામાં આવેલ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.