Abtak Media Google News

સુરેન્દ્રનગર ના સાયલા ના ખેડૂતે પાક નિષ્ફળ જતા આત્મ હત્યા કરી  લેતા સમગ્ર પંથક મા ચકચાર ફેલાયો..

સુરેન્દ્રનગર મા હાલ ખૂબ ઓછો વરસાદ પડ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા મા ખૂબ ઓછો વરસાદ પડતાં હાલ ખૂબ ખેડૂતો દવારા કઠિન પરિસ્થિતી નો સામનો કરવો પડી રહ્યો છે.ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા મા એક માસ મા ૩ ખેડૂતો એ આત્મ હત્યા કરી લેતા સમગ્ર પંથક મા ચકચાર ફેલાયો છે..

સુરેન્દ્રનગર જીલ્લા મા હાલ ખૂબ ઓછો વરસાદ પડ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા ના અનેક તાલુકો ને અસરગ્રસ્ત વિસ્તારમાં આવરી લેવામાં આવ્યા છે છતાં હજુ સુધી ખેડૂતો ને અને માલધારીઓ ને લાભ મળવો જોઈએ તે મળતો નથી.

સુરેન્દ્રનગર જીલ્લાના સાયલાના મનસુખભાઇ કરશનભાઇ શેખ પોતાનો પાક નિષ્ફળ જતાં ગળે ફાંસો ખાઈ ને આત્મહત્યા કરી લીધી હતી. ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા ના સાયલા મા એક માસ મા બીજા ખેડૂતે આત્મ હત્યા કરી લેતા સમગ્ર પંથક મા ચકચાર ફેલાયો હતો ત્યારે મનસુખભાઇ કરશનભાઇ શેખ એ પાક નિષ્ફળ જતાં ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. ત્યારે હાલ pm અર્થે સાયલા હોસ્પિટમાં તેમનો મૃતદેહ ખસેડવા મા આવિયો છે.

કપાસ સહિતનો પાક નિષ્ફળ જતા ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનો પરિવારજનોનો આક્ષેપ ..

મનસુખ ભાઈ ના પરિવાર સાથે વાત ચીત કરતા પ્રાથમિક માહિતી તેમના પરિવાર દવારા આપવા મા આવી હતી ત્યારે આ માહિતી મા મનસુખ ભાઈ શેખ દ્વારા વાવેલો પાક નિષ્ફળ જતાં પોતે પોતાનું જીવન ટૂંકાવ્યું હોવાનું તેમના પરિવાર દવારા આક્ષેપ કરવા મા આવી રહો છે.

15 દિવસમાં સાયલા તાલુકામાં પાક નિષ્ફળ જતાં બીજા ખેડૂતે આત્મહત્યા કરતા સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ

સુરેન્દ્રનગર જીલ્લાના સાયલામા ૧૫ દિવસ માં બે ખેડૂતો એ આત્મ હત્યા કરી લેતા સમગ્ર પંથક મા ચકચાર ફેલાયો છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા ના સાયલામા ખૂબ ઓછો વરસાદ પડ્યો છે અને પોતાના ખેતરો મા આવેલા પાકો હાલ નિષ્ફળ જઈ રહ્યા છે ત્યારે ૧૫ દિવસ માં બે ખેડૂતો એ આત્મ હત્યા કરી પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.

સુરેન્દ્રનગર જીલ્લામા ખૂબ ઓછો વરસાદ પડતાં હાલ ખેડૂતો અને પશુ પાલકો ની સ્થિતિ અત્યંત વિકટ બની છે. ત્યારે સુરેન્દ્રનગર જીલ્લામા મોટા ભાગ ખેડૂતોનો ખેતી પર નો આધાર વરસાદ ઉપર રહેલો છે ત્યારે આ વર્ષે ઝાલાવાડ પંથક મા ૭ તાલુકા ઓ મા તો ૧૨૫ મીમી કરતા પણ ઓછો વરસાદ નોંધાયો છે. ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા મા નર્મદા ની કેનાલો છે પણ તેમાં પણ પાણી સરકાર દ્વારા આપવા મા આવતું નથી રોજ અલગ અલગ તાલુકાઓ મા સરકાર સામે સૂત્રોચાર કરી ખેડૂતો દવારા વિરોધ નોંધાવવા મા આવી રહો છે.અને જે સુરેન્દ્રનગર જિલ્લા ની કેનાલ મા પાણી આપે તેમાં ગાબડાં ઓ પડી રહા છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા ના ખેડૂતો ને રતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.

ત્યારે ઝાલાવાડ પંથક મા ૨ માસ મા ૨ ખેડૂતો એ પોતાનો પાક નિષ્ફળ જતાં આત્મ હત્યા કરી લીધી છે ત્યારે આગામી સમયમાં શું સરકાર દ્વારા ખેડૂતો ના હિત મા નિર્ણય લેવા મા આવશે કે કેમ તેવી આશાઓ ખેડૂતો રાખી ને બેઠા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.