Abtak Media Google News

બ્રહ્મલીન પ્રમુખ સ્વામી મહારાજની આજે પ્રથમ પુણ્યતિથી નીમિત્તે સાળંગપૂર ખાતે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે.. આ પ્રસંગને લઇ સાળંગપુર ખાતે સ્મૃતિ સભા તેમજ દર્શન યાત્રા સહિતનાં કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. પ્રમુખ સ્વામી મહારાજ ભક્તોના આઘાત વચ્ચે 95 વર્ષની ઉંમરે બ્રહ્મલીન થયા હતા. પ્રમુખ સ્વામીએ એક વર્ષ પહેલાં જ 13 ઓગસ્ટના દિવસે સાંજે છ વાગ્યે સાળંગપુર ખાતે અતિંમ શ્વાસ લીધા હતા. આ સમાચારથી સ્વામીનારાયણ સંપ્રદાય અને ભક્તોમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ હતી. પ્રમુખસ્વામી મહારાજની કરાયેલી અંત્યેષ્ટિ વિધિ દરમિયાન લાખોની સંખ્યામાં હાજર રહેલા હરિભક્તો ધ્રુસકે ધ્રુસકે રડવા લાગતાં સમગ્ર વાતાવરણ હિબકે ચઢ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.