Abtak Media Google News
  • માન્ય બીટી કપાસ બીજનું વેચાણ કરતી કંપનીનું નામ સરકાર જાહેર કરે ખેડૂતોને બરબાદ થતાં બચાવે

ગુજરાતમા અનઅધિકૃત રીતે  બીટી કપાસ બીજના લાખો પેકેટનુ વેચાણ દર વર્ષે થાય છે અને તેના લાખો ખેડુતોને કરોડો રુપિયાની નુકશાન જાય છે, છતાં રાજય સરકાર આવા અનઅધિકૃત વેપારને અટકાવી શકી નથી ઉપરાંત અનઅધિકૃત બીટી કપાસ બીજ વેચતા ગુનેગાર વેપારી / ઉત્પાદકો પકડાયા છે તેને કાયદા મુજબ સજા કરાવવામા પણ નિષ્ફળ રહી છે.

આગામી ખરીફ સિઝન માટે અનઅધિકૃત બીટી કપાસ બીજનુ પેકીંગ થઈ રહ્યુ છે અને બજારમા પણ આવી રહ્યુ છે, અને રાજ્ય સરકારે બીટી કપાસ બીજના વેપારી માટે ગર્ભિત ચેતવણી પણ આપી નથી. અનઅધિકૃત બીટી કપાસ બીજના ઉત્પાદન પ્લોટ ઉપર છાપા માર્યા નથી, નમુના લેવાયા નથી, ખેડુત વિરોધી રાજ્ય સરકારને કારણે લાખો ખેડુતો આવા અનઅધિકૃત બીટી કપાસ બીજને કારણે આર્થિક પાયમાલ થાય છે, દર વર્ષે અમારી વિનંતી અને માંગ રહી છે.

ફરી આ વર્ષે અમારી માંગ છે કે રાજ્ય સરકાર સરકાર માન્યતા પ્રાપ્ત બીટી કપાસ બીજ વેચાણ કરતી કંપનીઓના નામ અને તેની જાતોના નામની યાદી પ્રસિદ્ધ કરે જેથી રાજ્યના કપાસ પકવતા ખેડુતો અનઅધિકૃત બીજથી આર્થિક બરબાદીથી બચાવી શકાય.

પેકિંગ અને વિતરણનુ કામ ચાલી રહ્યુ છે, ત્યારે રાજ્ય સરકારે અનઅધિકૃત બીટી કપાસ બીજના વેચાણ અટકાવવા માટે સ્કોર્ડની ટીમ બનાવી ? આ ટીમે ફિલ્ડ ઉપર કેટલા નમુના લીધા ? કેટલા નમુના જીનીંગ પ્રોસેસિંગમા લીધા ? કેટલા નમુના પેકીંગ સમયે લીધા ? પછીની શુ કાર્યવાહી કરી ? વગેરે માહીતી જાહેર પ્રસિદ્ધ કરી રાજ્યના ખેડુતોને માહિતગાર કરવામા આવે. નિષ્ફળ ગયેલા નમુનાવાળી કંપનીની યાદી રાજ્ય સરકાર તરફથી શા માટે પણ પ્રસિદ્ધ કરવામા આવતી નથી. ? રાજ્ય સરકાર ગુનેગારોને શા માટે બચાવી રહી છે. ?

રાજ્યના ખેતીવાડી વિભાગે આપેલ માહિતિ મુજબ અનઅધિકૃત બિયારણના ગેરકાયદે વેચાણ ની અટકાવવા માટે વર્ષ 2022-23 મા 7495 નમુના લીધા અને તેમા 192 અમાન્ય થયા અને 2023-24 મા 16931 નમુના લીધા તેમા 283 અમાન્ય થયા, એમ કુલ છેલ્લા બે વર્ષમા 475 બીજના નમુના અમાન્ય થયાની માહિતી આપી હતી, રાજ્ય સરકારને અમારો સવાલ છે કે 475 નમુનામા અનઅધિકૃત જથ્થો કેટલા કીલો હતો ? કઈ કઈ કંપનીનો હતો ? તેના પર પોલીસ ફરિયાદ થઈ હતી કે નહી ? કેટલી ધરપકડ કરવામા આવી ? ક્યા પ્રકારના પગલા ભર્યા ? વગેરે માહિતી રાજય સરકાર આ માહિતી છેલ્લા 20 વર્ષથી જાહેર કરતી નથી કારણ કે ભાજપા સરકાર ખેડુતોની નહી માત્ર વેપારીની છે.

એક આધારભુત માહિતી મુજબ આમ રાજ્ય સરકારનુ ખેતીવાડી ખાતુ એક બાજુ અનઅધિકૃત બિયારણના ગેરકાયદે વેચાણ ઉપર સખત પગલા ભરવાના દાવા વચ્ચે કેન્દ્ર સરકારે લોક્સભામા રજુ કરેલ આંકડા મુજબ સાત વર્ષમા માત્ર 9 કંપની ઉપર ફરીયાદ અને 38 વ્યક્તિની ધરપકડ કરેલ છે.જે છેલ્લા બે વર્ષના આંકડા સાથે વિસંગતા ઉભી કરે છે. આ બન્ને દાવા વચ્ચે સત્ય શુ છે તેનો જવાબ રાજ્યના કૃષિ મંત્રી આપે.

આ વર્ષે પણ ગુજરાતમા બીટી કપાસ બીજનુ અનઅધિકૃત બિયારણનુ ઉત્પાદન અને વેચાણ મોટા પ્રમાણમા થયુ છે, પરંતુ જો રાજ્ય સરકારને ખેડુતોને આર્થિક નુકશાની અંગે ચિંતા હોય તો અનઅધિકૃત બીટી કપાસ બીજનો એક દાણો ખેડુતોના ખેતર સુધી ન પહોચે તેના ઓપરેશન બીજ બુટલેગર’ શરુ કરી ખેડુતોને આર્થિક નુકશાનીમાથી બચાવવા જોઇએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.