Abtak Media Google News

1.5 કિ.મી. વોક-વેમાં પ્રવેશ ગેઈટમાં સુંદર આધ્યાત્મિકચિત્રો, સાયકલીંગ, વોક, બાયનોક્યુલર, હોર્સ/કેમલરાઈડીંગ, મ્યુઝીક સીસ્ટમ સાથે બેઠકની સુંદર વ્યવસ્થા; 10 વર્ષથી નીચેના બાળકોને નિ:શુલ્ક પ્રવેશ

પ્રોમોનેડ (સમુદ્રદર્શન પથ વોક-વે)નું લોકાર્પણ દેશના તાજેતરમાં ધાનમંત્રી અને ટ્રસ્ટના અયક્ષશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા તા.ર0-08-2021 ના રોજ કરવામાં આવ્યું હતું. દેશ-વિદેશથી આવતા યાત્રિકો માટે વોક-વે મોટું આર્કાણનું કેન્દ્ર બનશે. આ વોક-વે સવારે 06:00 વાગ્યાથી યાત્રિકો માટે ખુલ્લો મુકવામાં આવશે. આ વોક-વેના પ્રોજેક્ટથી સ્થાનિક રોજારીની તકો પણ વધશે. ભારત સરકારની પ્રાસાદ યોજનાથી રૂા.47.55 કરોડના ખર્ચે તૈયાર થયેલ આ 1.પ કિલોમીટર લાંબા વોક-વેમાં યાત્રિકો માટે પ્રવેશ ગેઈટમાં જ સુંદર આયાત્મિક ચિત્રો બનાવવામાં આવ્યા છે, સાયકલીં, વોક, બાયનોકયુલર, હોર્સ / કેમલ રાઈડીં, બેઠક માટે જરૂરી ફર્નિચર તેમજ મ્યુઝીક સીસ્ટમ જેવી તમામ સુવિધાઓ છે. યાત્રિકો આ વોક-વે પર ચાલતા ચાલતા વિશાળ સમુદ્રના દર્શન પણ કરી શકશે. આ વોક-વેમાં પ્રવેશ માટે 02 એન્ટ્રી ગેઈટ મુકવામાં આવ્યા છે. 01 પોલીસ સ્ટેશનની સામે અને 02 પ્રભાસ પાટણ પોસ્ટ ઓફિસ પાસે યાત્રિકો રૂા. 5 /- ની ટીકીટ લઈ વેશ કરી શકશે, 02 કલાકના સમયાળા માટે ટિકિટથી પ્રવેશ મળશે. 10 વર્ષથી નીચેની ઉંમરના બાળકોને નિ:શુલ્ક વેશ આપવામાં આવશે. વોક-વે પર સ્વચ્છતા અને સલામતિ માટે ખાસ તકેદારી રાખવામાં આવશે, વેશ ટીકીટ ફરજીયાત છે. વોક-વે પરના મારૂતિ હાટમાં સમુદ્રકિનારે ઘણા સમયથી વેપાર કરતા ફેરીયાઓને પણ ટોકન ફી લઈ નિયમબદ્ધ રીતે દુકાનો ફાળવવામાં આવશે. તેવી જ રીતે ઘોડા / ઉંટવાળા તથા ફોટોગ્રાફરોને પણ નિયમબદ્ધ કરી આઈ.કાર્ડ આપીને જ વેશ આપવામાં આવશે. સ્થાનિકો માટે માત્ર રૂા.50/- માં માસિક વેશ પાસ આપવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. દેશ-પરદેશથી આવતા યાત્રાળુઓ માટે પ્રવાસ યાદગાર બને તે માટે આ સમુદ્રદર્શન પથ એક અનેરૂ આર્કાણ રહેશે. યાત્રાળુઓ જુદા જુદા લોકેશનથી પોતાની સેલ્ફી લઈને યાદગીરી રાખી શકશે. પ્રભાસ પાટણ માટે આ નવનિર્મિત સમુદ્રદર્શન પથની ગરિમા પૂર્ણ જાળવણી કરવા વિનંતી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.