Abtak Media Google News

વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન તેમજ સૌરાષ્ટ્ર શિક્ષણ સેવા અને સમાજ ટ્રસ્ટ રાજકોટ સંચાલિત સરસ્વતી શિશુમંદિર રણછોડનગર પ્રાથમિક વિભાગની

વિદ્યાર્થીની બહેનોએ શ્રી નવદુર્ગા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત સંસ્કૃત રાસ ગરબા સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી વિજેતા બની છે.

સરસ્વતી શિશુમંદિરની વિદ્યાર્થીનીઓને રાસ ગરબા સ્પર્ધાની તાલીમ પ્રધાનચાર્ય કનુબેન ઠુમ્મરનાં માર્ગદર્શનમાં આચાર્ય કંચનબેન અને માયાબેન દ્વારા આપવામાં આવી હતી. નવદુર્ગા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત સંસ્કૃત રાસ ગરબા સ્પર્ધામાં સરસ્વતી શિશુમંદિરની વિદ્યાર્થીનીઓ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરતા તેમને સંસ્થાનાં ચેરમેન અપૂર્વભાઈ મણીઆર અને ટ્રસ્ટીઓએ અભિનંદન પાઠવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.