Abtak Media Google News

ટી-20 ટુર્નામેન્ટમાં પણ ટીમમાં ચેતેશ્વર પુજારાનો સમાવેશ

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની સિલેક્શન કમિટી દ્વારા સૈયદ મુસ્તાક અલી ટ્રોફી ટી-20 ટુર્નામેન્ટ માટે સૌરાષ્ટ્રની ટીમ જાહેર કરવામાં આવી છે. ટીમનું સુકાની પદ જયદેવ ઉનડકટને સોંપવામાં આવ્યું છે.

Advertisement

ટીમમાં સુકાની જયદેવ ઉનડકટ ઉપરાંત શેલ્ડન જેક્શન, પ્રેરક માંકડ, ચિરાગ જાની, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ચેતેશ્ર્વર પુજારા, હાર્વિક દેસાઇ, સમર્થ વ્યાસ, પાર્થ ચૌહાણ, દેવાંગ કરમતા, જય ગોહિલ, કુશાંગ પટેલ, પાર્થ ભૂત, યુવરાજ ચુડાસમા, નવનીત વોરા અને તરંગ ગોહેલની પસંદગી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રની ટીમ 11મીએ આંધ્રપ્રદેશ સામે, 12મીએ બરોડા સામે, 14મીએ નાગાલેન્ડ સામે, 16મીએ ગુજરાત સામે, 18મીએ હિમાચલ પ્રદેશ સામે અને 20મીએ બિહાર સામે ટકરાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.