Abtak Media Google News

સુદામડા ગામમાં આવેલ વાસુપુજ્ય જૈનદેરાસર મંદિર ને  99 વર્ષ પૂર્ણ થયાં અને 100 મુ વર્ષ શરૂ થયું. આ 100 માં વર્ષ ની ધ્વજાંરોહણ માં મોટા ભાગના જૈન ભાઈઓ સોશિયલ ડિસ્ટન્સ સાથે ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

આજની ધ્વજારોહણ નિમિષભાઈ હિંમતલાલ મશ્કારીયા (સુદામડા) હાલ મુંબઈ નિવાસી એ લાભ લીધો હતો અને પ્રસાદના કાયમી દાતા ઉજમશીભાઈ ઠાકરશીભાઇ તરફથી હતો . તથા સુંદર મજાની  આંગી કરવામાં આવી હતી.

આ કાર્યક્રમને સફળ બનાવવા ઉમંગભાઈ મશ્કારિયા, મેહુલભાઈ, જતીનભાઈ, નયનભાઈ શેઠ, ચિરાગભાઈ તથા અન્ય ભાઈઓ એ જહેમત ઉઠાવી હતી.દરેક લાભાર્થી પરિવાર નો વાસુપજ્ય સંઘ દરેક નો ખૂબ ખૂબ આભાર માને છે આ પ્રસંગે જૈન સમાજ માં અનેરો ઉત્સવ ઉજવાયો. આ સમગ્ર કાર્યક્રમ સરકારની ગાઇડલાઇન મુજબ સોશિયલ ડિસ્ટન્સ જાળવી કરવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.