Abtak Media Google News

અંબાજી માતાજીના મંદિરના લાભાર્થે આયોજિત સંતવાણીમાં અનેક જાણીતા કલાકારો ભજનની રમઝટ બોલાવશે

મોરબીના રાપર ગામે અંબાજી માતાજીના મંદિરના લાભાર્થે આજરોજ શનિવારે રાત્રે ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગીતાબેન રબારી, શૈલેષ મહારાજ, રામભાઈ ગઢવી અને કલ્પેશભાઈ મારવાડા સહિતના કલાકારો ભજનની રમઝટ બોલાવશે.

મોરબી તાલુકાના રાપર ગામે તા.૨૩ને શનિવારના રોજ રાત્રે અંબાજી માતાજીના મંદિરના લાભાર્થે ભવ્ય સંતવાણી યોજાશે. આ તકે સુરેશ્વરધામના મહંત બેચરગીરી કેશવગીરી તેમજ ધારાસભ્યો બ્રિજેશભાઈ મેરજા, લાલિતભાઈ કગથરા, કાંતિલાલ અમૃતિયા સહિતના અગ્રણીઓ હાજરી આપશે.

સંતવાણીમાં કચ્છની કોયલ ગીતાબેન રબારી, ભજનિક શૈલેષ મહારાજ, કચ્છ વાગળ રામભાઈ ગઢવી તેમજ કલ્પેશભાઈ મારવાડા સહિતના કલાકારો ભજનની રમઝટ બોલાવશે. આ સંતવાણીમાં ઉપસ્થિત રહેવા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.