હાલ સમગ્ર દેશમાં કોરોના વાઇરસની મહામારી ચાલી રહી છે. સરકારશ્રી દ્વારા કોરોનાનું વધુ સંક્રમણ ન ફેલાય તે માટે લોકડાઉન કરવામાં આવેલ છે. આ મહામારીનો સમય ગરીબ વર્ગના લોકો માટે અત્યંત ગંભીર સમય બન્યો છે, ત્યારે શ્રી સંતોષી માતાજી મઁદિર, મોવિયાના મહંતશ્રી ચંદ્રેશબાપુ નિરંજની, પુજારિન શ્રીમતી મીનાબેન નિરંજની અને ડો. કુણાલ નિરંજની અને પરિવાર દ્વારા ગરીબ વર્ગને રાશન કિટ અને માસ્ક વિતરણ કરી ખુબ જ ઉમદા સેવાકીય કાર્ય કરેલ છે. કાયમી સેવાકીય પ્રવૃત્તિથી પંકાયેક શ્રી સંતોષી માતાજી મઁદિર, મોવિયા ખાતે, સ્થાનિક જરૂરિયાતમંદ લોકોને રૂપિયા ૧,૦૦૦/- વાળી કુલ – ૨૫૦ નંગ રાસન કીટનું વિતરણ કરવામાં આવેલ છે તેમજ ૮૦૦ જેટલાં માસ્કનું પણ વિનામૂલ્યે વિતરણ કરી, લોકોને કોરાનાથી રક્ષણ મળે અને સરકારશ્રીના નીતિ નિયમોનું ચુસ્ત પાલન કરવા અને ઘરમાં રહેવા ચંદ્રેશબાપુએ અપીલ કરેલ.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને સંયુક્ત સાહસોમાં સારું રહે અને દિન શુભ રહે
- હોરર કોમેડી ‘બાક’ના પ્રમોશન માટે રાશી ખન્ના નજર આવી આ લૂકમાં
- કેજરીવાલની ધરપકડ અંગે સુપ્રીમ કોર્ટે EDને પૂછ્યો આ મહત્વનો પ્રશ્ન
- જામનગર : બે યુવાનોને જોડિયા નજીક કેશિયા ગામ પાસે નડ્યો અકસ્માત
- વિશ્વની સૌથી સસ્તી હોટલમાં ભારતની પણ એક હોટલ સામેલ
- ભારતના અર્થતંત્ર માટે આ છે સારા સમાચાર
- ટ્રુડો મત માટે કેનેડાને ખાલીસ્તાન બનાવી શકે!
- સુરત : ડ્રગ્સનો ધમધમતો ધંધો! SOGએ મોટા રેકેટનો કર્યો પર્દાફાશ