Abtak Media Google News
રેલીમાં શાળાના બાળકોએ શહિદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુના પાત્રો ભજવ્યા
મોરબી: મોરબીના માતૃવંદના ટ્રસ્ટ દ્વારા ગઈકાલે શહિદ દિન નિમિતે શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને શ્રદ્ધાંજલિ આપવા માટે શહીદ સ્મૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ રેલીમાં વિવિધ શાળાના બાળકો જોડાયા હતા. રેલીએ શહેરના મુખ્ય રાજમાર્ગો પર ફરીને ભારત માતાની જયના નારા ગુંજાવ્યા હતા.
Img 20180324 Wa0032
ગઈકાલે શહિદ દિન નિમિત્તે શહેરભરમાં શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવતા કાર્યક્રમો યોજાયા હતા.ત્યારે મોરબીના માતૃવંદના ટ્રસ્ટ દ્વારા શહિદોને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે સ્મૃતિ રેલી કાઢવામાં આવી હતી. રેલીમાં વિવિધ શાળાઓના બાળકો ઉત્સાહભેર જોડાયા હતા. રેલી ભારત માતાની જય ના નારા સાથે શહેરના મુખ્ય રાજમાર્ગો પર ફરી હતી.
Img 20180324 Wa0028
શહીદ સ્મૃતિ રેલીમાં બાળકોએ વિવિધ ટેબ્લો બનાવીને રજુ કર્યા હતા. ઉપરાંત બાળકોએ શહિદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુના પાત્રો ભજવ્યા હતા . આ પાત્રો રેલીમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા..

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.