Abtak Media Google News

વર્ષમાં મુખ્ય ચાર નવરાત્રિ ઉપરાંત પોષ સુદ આઠમથી પુનમ સુધી શાકભરી નવરાત્રિ ઉજવાય છે

પોષ સુદ આઠમને શુક્રવાર થી શાકંભરી નવરાત્રી નો પ્રારંભ થશે. જે પોષ સુદ પૂનમ એટલે કે પોષી પુનમ નાં દિવસે પૂર્ણ થશે. વર્ષમાં મુખ્ય ચાર નવરાત્રી આવે છે તે ઉપરાંત શાકંભરી નવરાત્રી પણ આવે છે. માં શાકંભરીનું પૂજન  સવારે નિત્ય કર્મ કરી અને ત્યારબાદ બાજોઠ ઉપર લાલ વસ્ત્ર પાથરી માં શાકંભરીની છબી અથવા તે ન હોય તો નવદુર્ગા માતાજીની છબી પણ ચાલે. તેને લાલ વસ્ત્ર ઉપર રાખી અને કંકુનો દિવો કરી અગરબતી કરી અને માતાજીને કંકુનો ચાંદલો ચોખા કરી ચુંદડી પહેરાવી અને ત્યારબાદ શાકંભરી નમ: મંત્રની એક માળા અને ત્યારબાદ કુળદેવીનાં મંત્રની એક માળા કરવી.

માતાજીને નૈવેદ્યમાં મીઠાઈ અને ખાસ લીલા શાકભાજી ધરવા. ત્યારબાદ આરતી કરી તે શાકભાજીની રસોઈ કરી અને બપોરે માતાજીને થાળ ધરવો. અને ત્યારબાદ તેની પ્રસાદી લેવી. આમ પોષીપુનમ સુધી માતાજીનું પૂજન અને વ્રત કરવું. આમ પૂજન અને વ્રત કરવાથી જીવનની બધીબાધાઓ અને મુસીબતો દૂર થશે.દેવીનો સંહાર કરવા માટે દુર્ગમ નામનો રાક્ષસ તપ કરે છે અને બ્રહ્મદેવનું વરદાન મેળવી પૃથ્વીનાં વેદ અને તત્વ લઈ લે છે. આના પરીણામ સ્વરૂપ દેવતાઓ વેદને ભુલી જાય છે અને પૃથ્વી ઉપરથી સત્કર્મ અને પરીકર્મ બંધ થઈ જાય છે. આમ તેના પરીણામ સ્વરૂપપૃથ્વી ઉપર દુષ્કાળપડેછે. લોકો ભુખથી મરવા લાગે છે.

આથી ઋષીમુનીઓ માતાજીને પ્રાર્થના કરે છે. આમ માતાજી શતાક્ષી એટલે કે સો નેત્રવાળુ રૂપ લઈ અને દુર્ગમનો નાશ કરે છે અને વેદને મુકત કરેછે. અને ત્યારબાદ પૃથ્વી ઉપર વરસાદ પડે છે. પરંતુ માતાજીની કૃપાથી સૌ પ્રથમ ચારેકોર પૃથ્વી ઉપર શાકભાજી ઉગે છે અને તે લોકો ખાય છે. અને મનુષ્યોને પૃથ્વીવાસી લોકોને માતાજીની કૃપાથી નવજીવન મળે છે.આમ આથી માતાજીનાંએક સ્વરૂપનું નામ શાકંભરી દેવી પડેલ છે. આથી ખાસ આપણા વેદ સંસ્કૃતિ અને યજ્ઞોનું રક્ષણ થવું જોઈએ અને આ પરંપરાઓ ચાલુ રહેવી જોઈએ.તેમ વેદાંતરત્ન રાજદીપભાઇ જોશીએ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.