Abtak Media Google News

બાર દિવસ પહેલા એસિડ પી લીધું હતું: સારવારમાં દમ તોડતા પરિવારમાં આક્રંદ

શાપરમાં ગેલેક્સી ઇન્ડસ્ટ્રીઝ ખાતે રહેતા યુવાનને પત્ની સાથે બોલાચાલી થયા બાદ એસિડ પી લેતા તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બાર દિવસની લાંબી સારવાર બાદ યુવકે દમ તોડતા પરિવારમાં કલ્પાંત છવાયો છે.

Advertisement

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શાપરમાં રહેતા ધર્મેશભાઈ પ્રાગજીભાઈ નળીયાપરા નામના ૩૫ વર્ષીય યુવાને આપઘાત કરી લીધો હતો. આ અંગે જાણ થતાં શાપર પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ મૃતક ધર્મેશભાઈ ત્રણ ભાઈ એક બહેનમાં વચેટ છે અને તેમને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. ગત તા.૨૯મી જુલાઈના રોજ તેમની પત્ની ડિમ્પલ બેન સાથે થોડી બોલાચાલી થયા બાદ તેઓએ એસિડ પી લેતા સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનું ચાલુ સારવારમાં મોત નિપજ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.