Abtak Media Google News

ભારત ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ગયેલી ટીમ ઈન્ડિયાને મોટો આંચકો લાગ્યો છે. સ્ટાર બેટ્સમેન રોહિત શર્મા અને ઝડપી બોલર ઇશાંત શર્મા હજી સંપૂર્ણ રીતે ફિટ નથી અને શરૂઆતની બે ટેસ્ટમાંથી બહાર રહે તેવી શક્યતા છે.

બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા (બીસીસીઆઈ) ટૂંક સમયમાં આ બાબતે જાહેરાત કરશે. બંને ખેલાડીઓ બેંગ્લોરની રાષ્ટ્રીય ક્રિકેટ એકેડેમીમાં મેડિકલ ટ્રિટમેન્ટ લઈ રહ્યા છે. એનસીએની તબીબી ટીમ દ્વારા તેની દેખરેખ રાખવામાં આવી રહી છે.

ઇશાંત શર્મા અંગે બીસીસીઆઈના અધિકારીએ કહ્યું હતું કે, જો ટી 20 મેચ રમવાની હોય અને ફક્ત 4 ઓવર ફેંકવાનીજ જરૂર હોય તો આ ઝડપી બોલર ફિટ છે, પરંતુ ટેસ્ટમાં લાંબી સ્પેલ નાખવાની હોય છે. આવી સ્થિતિમાં ઇશાંતને લઈને જોખમ લઈ શકાય નહીં.

રોહિતને ડિસેમ્બરના બીજા અઠવાડિયામાં જ મુસાફરી કરવાની છૂટ આપવામાં આવશે. તેની પાસે હજી સંપૂર્ણ સ્વાસ્થ્ય નથી. રોહિતને બે અઠવાડિયા સુધી મેડિકલ સારવાર લેવી પડશે તેવું ચર્ચાઈ રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.