Abtak Media Google News

જામનગરના રણમલ તળાવમાં નિયમિત સફાઇ ન થતી હોવાથી લાંબા સમયથી કચરાના ઢગાલા થયા હતા. ત્યારે ગઇકાલે  મહાનગરપાલિકા અને એસએસબી જવાનો દ્વારા રણમલ તળાવમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું અને ઢગલા મોઢે કચરો બહાર કાઢવામાં આવ્યો હતો.જે દરમિયાન કેટલાક ઉત્સાહી ભાજપના યુવા કોર્પોરેટરો માસ્ક પહેર્યા વગર જોવા મળ્યા હતા. જ્યારે એસએસબીના જવાનોએ નિયમોનું પાલન કરતા માસ્ક પહેરેલા જોવા મળ્યા હતા. ત્યારે શું કોર્પોરેટરોને નિયમો લાગુ પડતા નથી એ શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.

રણમલ તળાવના પાછલા ભાગમાં ગઇકાલે સવારથી જ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. તળાવમાંથી મોટી માત્રામાં કચરો એકઠો થયો હતો. આ અભિયાનમાં જામનગર મહાનગરપાલિકાના મેયર,સ્ટે કમિટીના ચેરમેન, ડેપ્યુટી મેયર અને એસએસબીના જવાનો જોડાયા હતા.હાલ કોરોના મહામારી કાળ ચાલી રહ્યો છે ત્યારે તળાવમાં સફાઈ અભિયાનમાં એસએસબીના જવાનો અને મહાનગરપાલિકાના અધિકારીઓ માસ્ક સાથે સફાઈ અભિયાન કરતા જોવા મળ્યા હતા.

25 1

તોબીજી બાજુ જામનગરના યુવા ઉત્સાહિત નગરસેવકો માસ્ક નીચું રાખેલ જોવા મળ્યા અને સફાઈ અભિયાન ના ફોટા પડાવ્યા હતા લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે નગરસેવકો માસ્ક નીચું રાખે કે ન પહેરે તો ચાલે અને નાગરિકો કે વેપારીઓ માસ્ક નીચું હોય તો દંડ ભરવાનો કે કાર્યવાહી કરે છે. મહાનગર પાલિકા દ્વારા સફાઈ અભિયાન ચાલુ હતું જેમાં સફાઈ અભિયાનમાં પદ અધિકારી સહિતના લોકો જોડાયા અને એસએસબીના જવાનો પણ માસ્ક સાથે સફાઈ કામગીરી કરી ત્યારે  ઉત્સાહિત નગરસેવકો કોરોનાની ગાઈડલાઇનનું પાલન નથી કરતા કે લોકોને સંદેશો દેવા માગે છે કે અમને કોઈ નિયમો લાગુ પડતા નથી તેવું ઠેર ઠેર ચર્ચાઇ રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.