Abtak Media Google News

મકરસંક્રાંતિના પવિત્ર પુણ્યકાળ દરમિયાન દાનપુણ્ય કરવાનું મહત્વ રહેલું છે . મકરસંક્રાંતિએ પૂજા , ગૌ – પૂજન જેવા અનેક ધાર્મિક કાર્યો લોકો ધાર્મિક   સ્થાનોમાં કરાવે છે .   મકરસંક્રાંતિએ   સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ મંદિરમાં પણ સવારે 09:00 વાગ્યે ગૌ – પૂજન , 11:00 વાગ્યે તલનો અભિષેક તેમજ સાયમ્ શ્રૃંગારમાં તલશ્રૃંગાર કરવામાં આવશે .  સોમનાથ ટ્રસ્ટ દ્વારા 165 જેટલી ગીર – ગાયનું ગૌ – પાલન સેવા કરવા તેમજ ખેડુતોને ગૌ પાલન કરવા પ્રોત્સાહન મળે તેવા શુભઆશયથી ગૌશાળા ચલાવવામાં આવે છે . વર્ષ દરમ્યાન ગૌ પાલન જાગૃતિ અંગેના તેમજ ખેડુતોને પ્રોત્સાહિત કરવા અંગેના અનેક કાર્યક્રમો કરી પુરસ્કાર પણ આપવામાં આવે છે . હિન્દુ ધર્મશાસ્ત્રમાં ગૌ – માતાનું પાલન અને પૂજનને શ્રેષ્ઠ માનવામાં આવે છે.

સોમનાથ ટ્રસ્ટ દ્વારા ટ્રસ્ટની કગૌશાળામાં ” એક ગીરગાય ” માટે રૂા .31,000 / – નું દાન આપીને ગીર – ગાયને દતક લઈ આ લ્હાવો લઈ શકે છે . હાલ ટ્રસ્ટ પાસે 165 જેટલી ગીરગાય છે . મકરસંક્રાંતિએ ગૌદાન તેમજ દાન કરવા માટે શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે .

31,000 / – રૂા.ની સેવા નોંધાવી એક ગીર ગાયને દતક લેવાનો અવસર પ્રાપ્ત કરો 21,000 / – રૂા.ની સેવા નોંધાવી એક દિવસ 165 ગાયનો નિભાવ ખર્ચનું દાન આપો 1,100 / – રૂા.ની સેવા નોંધાવી પાંચ ગૌમાતા માટે એક દિવસની ઘાસ – ચારાની સેવા 251 / – રૂા.ની પૂજા નોંધાવી મકરસંક્રાંતિએ ઓનલાઈન ઝુમ એપ મારફત ગૌ – પૂજન કરવાનો લાભ લઈ શકાય છે .

ઉપરોકત ગૌ – સેવાનો લાભ લેવા ઈચ્છતા ભક્તોએ  સોમનાથ ટ્રસ્ટની વેબસાઈટ Somnath.orgપરથી પોતાની સેવા નોંધાવી શકે છે . સંપર્ક મો.નં. 9426287638 , 9426287639 , 9428214915 , 9426287659. ઉપરોકત સેવા નોંધાવનાર ભકતોને તેઓના મોબાઈલ નંબર પર ઝુમ એપની લીંક મોકલવામાં આવશે . આ લીંક મારફત તેઓ ઓનલાઈન ગૌ – પૂજનમાં જોડાઈ શકશે .

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.