Abtak Media Google News

સપડા ગામ પાસે ઉશ્કેરાટમાં શખ્સે છરીનો જીવલેણ ઘા ઝીકયો: મુસાફરોએ હિંમત દાખવી આરોપીને થાંભલા સાથે બાંધી દઇ પોલીસ બોલાવી

જામનગરથી જુનાગઢ જતી એસ.ટી. બસમાં સામાન્ય બોલાચાલીમાં બે મુસાફરો વચ્ચે ઝગડો થયો હતો. જેમાં વિજરખી ગામ પાસે ચાલુ બસમાં કાલાવડના વિપ્ર યુવકને ગળાના ભાગે દરબાર શખ્સે છરીનો એક ઘા ઝીંકી દઇ અમદાવાદના શખ્સે હત્યા નિપજાવવા મુસાફરોમાં ફફડાટ ફેલાયો હતો. બસના મુસાફરોએ હિંમત દાખવી બસને રોકયા બાદ આરોપીને છરી સાથે ઝડપી લઇ વીજપોલ સાથે બાંધી દઇ જામનગર પોલીસ ક્ધટ્રોલ રૂમને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે દોડી જઇ મૃતદેહને પી.એમ. અર્થે ખસેડી આરોપીને ઝડપી લઇ હત્યાનો ગુનો નોઘ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ જામનગરમાં એક સનસનાટી જનક ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે. જામનગરથી જુનાગઢ જતી એસ.ટી. બસમાં મુસાફરી કરી રહેલા અને કાલાવડમાં રહેતા ખમણ લારી ચલાવતા હિતેન્દ્ર જીતેન્દ્ર પંડયા (ઉ.વ.૪૦) ને મુળ અમદાવાદ અને હાલ જામનગરમાં રહેતા દરબાર યુવાન સાથે નજીવી બાબતે બોલાચાલી થઇ હતી. જે બાબતનું મનદુ:ખ રાખી વિજરખી થી સાપરા પાસે પહોચતા દરબાર યુવાને પોતાના નેફામાંથી છરી કાઢી વિપ્ર યુવકને ગળાના ભાગે જીવલેણ ઘા ઝીંકી હત્યા નિપજાવી નાખી હતી. બસના મુસાફરોએ હિંમત દાખવી દરબાર શખ્સને ઝડપી લઇ વીજપોલ બાંધી દઇ જામનગર પોલીસ કંટ્રોલ રુમને જાણ કરી હતી.

પંચકોશી એ ડિવીઝનના હેડ કોન્સટેબલ મગનભાઇએ ઘટના સ્થળે દોડી જઇ આરોપીની ધરપકડ કરી હતી અને લોહી લુહાણ વિપ્ર યુવકના મૃતદેહને પી.એમ. અર્થે ખસેડી તેના પરિવારજનોને જાણ કરી હતી. મૃતક અને આરોપી બન્ને જામનગર એસ.ટી.ડેપો પરથી સાથે બેઠા હતા. જેમાં કાલાવડના હિતેશ પંડયાએ તેની બે ભત્રીજી સાથે જામનગરથી કાલાવડ જતા હતા. દરબાર યુવાન પોતાના ઘરે પત્ની સાથે ઝગડો કરી નીકળ્યા બાદ નિર્દોષ યુવક પર ગુસ્સો ઉતરી ગયાનું પોલીસની પ્રાથમીક તપાસમાં ખુલ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.