Abtak Media Google News

આજથી રાજયમાં ગુણોત્સવનો આઠમો તબ્બકો શરૂ થયો છે. રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે પંચમહાલ જીલ્લાનાં ગોવિંદી ગામથી ગુણોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો જેમાં વિદ્યાર્થીઓનાં વાંચન, લેખન સહિતની બાબતોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતુ. રાજયમાં આજથી બે દિવસ માટે શરૂ થયેલા ગુણોત્સવનાં ૮માં તબ્બકામાં નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલે વડોદરાનાં કાર્યક્રમમાં હાજરી આપી હતી. રાજયની ૩૨૭૮૦ પ્રાથમિક શાળાઓમાં ૫૪ લાખથી વધુ વિદ્યાર્થીઓ અને ૮૬૩ ગ્રાંટેડ તથા ૮૦૪ આશ્રમ શાળાઓને ગુણોત્સવમાં આવરી લેવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.