Abtak Media Google News

ભાવનગરમાં બે દુકાનના તાળા તોડી અડધા લાખની ચોરાઇ

ભાવનગરમાં કથળેલી કાયદો અને વ્યવસ્થાથી ચોરી, લુંટ અને ચીલઝડપ જેવા આર્થિક ગુનાઓનું પ્રમાણમાં નોંધપાત્ર વધારા વચ્ચે વરતેજ નજીક સોડવદરા ગામે પરિવારને નિદ્રામાં ખલેલ પહોચાડયા વગર રૂ ૩.૫૦ લાખની અને કાળીયાબીડ વિસ્તારમાં આવેલ બે બંધ દુકાનના તાળા તોડી રૂ. ૫૬.૫૦૦ ની મત્તા ચોરી ગયાની પોલીસ ચોપડે ફરીયાદ નોંધાય છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વરતેજ તાબાના સોડવદરા ગામે રહેતા ભરતભાઇ મથુરભાઇ જાદવને પરિવાર ફળીયામાં સુતો હતો તે દરમ્યાન તેના ઘરની પાછળની બારી તોડી કોઇ તસ્કરો અંદર પ્રવેશી કબાટમાં તાળા તોડી અંદર રખાયેલ સોના ચાંદીના ઘરેણા તથા હીરાના પડીકા અને રોકડ રકમ મળી કુલ રૂ ૩.૫૬ લાખ ની મત્તાની ચોરી કરી નાસી છુટયા હોવાની ફરીયાદ વરતેજ પોલીસ મથકમાં નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

ભાવનગર શહેરના કાળીયાબીડ પ્લોટ નં.૭૮ માં રહેતા જીતુભાઇ ભનુભાઇ દવેની માલીકીની સીદસર રોડ, લીલા સર્કલ પાસે આવેલ શ્રીરામ મોબાઇલ નામની દુકાનની છત પરના સીમેન્ટના પતરા તોડી કોઇ તસ્કરો અંદર પ્રવેશી દુકાનમાં રખાયેલ રૂ ૫૪ હજારની કિંમતના મોબાઇલ તથા સીમકાર્ડ તથા તેની બાજુમાં આવેલ પાનની દુકાનમાં છતના પતરા તોડી તેમાંથી ‚ ૨૫૦૦ ની રોકડ ઉઠાવી કોઇ તસ્કરો નાસી છૂટયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.