Abtak Media Google News

દિવાળીના પર્વમાં તારીખ 19 ઓકટોબરથી 26 ઓકટોબર સુધી એસટી નિગમની આવકનો આંકડો ધરખમ વધ્યો છે, ગત વર્ષની સરખામણીએ આ વર્ષે સાડા 7 કરોડથી વધારે એસટી નિગમમાં આવક થઇ છે, એસટી બસની 8 હજાર 304 ટ્રીપ કરી જેમાં સાડા 7 કરોડ કરતા વધારે આવક નોંધાઇ છે,

દિવાળીના પર્વને ધ્યાને લઇ પંચમહાલ અને સુરતના રત્ન કલાકારો જેવા મુસાફરોની સુવિધા માટે દરેક જગ્યાએ બસની સુવિધા કરવામાં આવી હતી. દિવાળી દરમિયાન લોકોને પોતપોતાના વતનમાં જવામાં તકલીફ ન પડે તે માટે એસટી નિગમે મહત્વનો નિર્ણય કર્યો હતો. નિગમે 19 થી 26 ઓક્ટોબર દરમિયાન રાજ્યભરમાં 2,300 વધારાની બસો દોડાવવાની જાહેરાત કરી હતી. વધારાની બસો દોડાવવામાં આવતા રાજ્યના નાગરિકોને ઘણો લાભ થયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.