Abtak Media Google News

સગાઇ તોડી નાખતા જેનો ખાર રાખી ત્રાસ આપતા ઝેર પી જીવન ટુંકાવી લીધું: મરવા મજબુરનો નોંધાતો ગુનો

દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળીયાના શકિતનગરના નુતનનગર સોસાયટીમાં રહેતી યુવતિને આપઘાતની ફરજ પાડવામાં તેના પૂર્વ મંગેતર સામે મરવા મજબુર કરવાનો ગુનો નોંઘ્યો છે. યુવતિએ સગાઇ તોડી નાખતા જેનો ખાર ફરી સગાઇ કરવા ત્રાસ આપતા યુવતિએ ઝેરી દવા પી જીવન ટુંકાવી લીધું હતું.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ખંભાળીયાના નુતનનગર સોસાયટી નં.ર શકિતનગરમાં રહેતી હેમાંગીબેન ધર્મેન્દ્રભાઇ જોશી નામની યુવતિએ ગત તા. 6 મેના રોજ ઝેરી દવા પી લેતા સારવારમાં મોત નિપજયું હતું.

આ બનાવમાં મૃતક હેંમાગીબેનના માતા કિરણબેન ધર્મેન્દ્રભાઇ જોશીએ ખંભાળીયા ખાતે રહેતો રત્નદિપ રમેશ ખેતીયા નામના શખ્સના ત્રાસથી આપઘાત કરી લીધાનું ફરીયાદમાં જણાવ્યું છે.

પોલીસે રત્નદિપ રમેશ ખેતીયા સામે મરવા મજબુરની કલમ હેઠળ ગુનો નોંધી પ્રાથમિક તપાસમાં મૃતક હેમાંગીબેન અને આરોપી રત્નદિપ ખેતીયાની વચ્ચે પ્રેમસંબંધ હોવાથી બન્નેના પરિવારની સંમતિથી સગાઇ કરવામાં આવી હતી. બાદ બન્ને વચ્ચે મોબાઇલ ફોનમાં વાતચીત અને ઘરે આવતો જતો હતો બાદ બન્ને વચ્ચે નાની વાતોમાં ઝઘડા કરવા લાગતા હેમાંગીબેન સાથે સગાઇ તોડી નાખેલી તેમ છતાં પણ તે મરણ જનાર હેમાંગી ને સગાઇ નહી તોડવા માટે બળજબરી અને દબાણ કરી કોઇ સંબંધી સાથે કોઇ સ્થળે નહી જવા અને સોશ્યલ મીડીયામાં કોઇ ફોટા શેર નહી કરવા વારંવાર ઝડઘો કરતા આથી કંટાળી જઇ પગલું ભરી લીધાનું ખુલ્યુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.