અત્યાર સુધી મોટર વ્હીકલ એકટ મુજબ આરટીઓમાં આધારકાર્ડને પુરાવા તરીકે માન્ય રાખવામાં આવ્યું ન હતું પરંતુ ગઈકાલે ખુલાસો કરતા જણાવવામાં આવ્યું હતું કે હવેથી આરટીઓ ખાતે આધારકાર્ડને માન્ય પુરાવો ગણવામાં આવશે.આધારકાર્ડને અગાઉ સુધી માન્ય ગણવામાં ન આવતું હતું. તેનું મુખ્ય કારણ એ પણ ગણી શકાય કે જયારે મોટર વ્હીકલ એકટ જયારે બનાવવામાં આવ્યો હતો ત્યારે આધારકાર્ડનું અસ્તિત્વ ન હતું પરંતુ હવે બધા જ ક્ષેત્રોમાં આધારકાર્ડને ફરજીયાત બનાવામાં આવી રહ્યા છે. જેના અનુસંધાને આરટીઓમાં પણ આધારકાર્ડને માન્ય પુરાવો ગણવા બાબતે ખુલાસો કરવામાં આવ્યો છે.જો કે અત્રે એ ઉલ્લેખનીય છે કે રાજકોટ આરટીઓના આસિસ્ટન્ટ આરટીઓ જે.વી.શાહ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે આ નિર્ણય લેવાઈ ચુકયો છે હજુ પણ અમને કોઈપણ પ્રકારનો પરીપત્ર કે નોટીફીકેશન મળી નથી. ટુંક સમયમાં આ નોટીફીકેશન આવી જશે. ત્યારબાદ બધી જ બાબતો સ્પષ્ટ થશે.
Trending
- વઢવાણમાં બે દિવસ પૂર્વે જ છૂટાછેડા લેનાર ત્યક્તા પર પૂર્વ પતિનો છરી વડે હુમલો
- રાજાશાહી વખતમાં બનેલી સત્ય હકીકત રાહુલ ગાંધીની માહિતી માટે જામ સાહેબે જાહેર કરી
- કઠણાય: ખંભાળીયામાં જામનગરનું નહિ ‘કરાંચી’નું એફ.એમ. સાંભળવા લોકો મજબૂર
- તાલાળા યાર્ડમાં કેસર કેરીની હરાજીના શ્રી ગણેશ: 5760 બોક્ષની આવક
- રાજસ્થાનના આ ‘વિચિત્ર’ લગ્નની દેશ-દુનિયામાં થઈ રહી છે ચર્ચા
- હાર્ટ એટેકનો કાળો કહેર: 24 કલાકમાં છ વ્યક્તિને ભરખી ગયો
- રાજકોટ: ધરમનગર ક્વાર્ટરના ચોથા માળેથી પટકાતા યુવકનું મોત
- રાજ્યભરમાં આજથી ચાર દિવસ હિટવેવની આગાહી