Abtak Media Google News

 

Advertisement
  • કતારગામ લલિતા ચોકડી પાસે એક પ્રેમીએ પોતાની જ પ્રેમીકાની હત્યા કરી

  • પ્રેમીએ પ્રેમિકાને કેરોસીન છાંટીને સળગાવીને હત્યા કરી દીધી હોવાનું ખુલ્યુ છે.

સુરત ન્યૂઝ

સુરતમાં પ્રેમીએ જ પોતાની પ્રેમિકાની હત્યા કરી દીધી હોવાની ઘટના સામે આવી છે. શહેરના કતારગામ વિસ્તારમાં પ્રેમ સંબંધમાં અન્ય સાથે સંબંધો હોવાની શંકા જતાં ગુસ્સે ભરાયેલા પ્રેમીએ પોતાની પ્રેમીકાને મોતને ઘાટ ઉતારી દીધી છે. પ્રેમીએ પ્રેમિકાને કેરોસીન છાંટીને સળગાવીને હત્યા કરી દીધી હોવાનું ખુલ્યુ છે.

મળતી માહિતી પ્રમાણે, શહેરમાં એક આંધળો પ્રેમ અને બાદમાં હત્યા સુધીની ઘટના સામે આવી છે. સુરતના કતારગામ લલિતા ચોકડી પાસે એક પ્રેમીએ પોતાની જ પ્રેમીકાની હત્યા કરી દીધી, આ ઘટનામાં પ્રેમીને છેલ્લા કેટલાક સમયથી પોતાની પ્રેમીકા પર શંકા હતી. પ્રેમીકાને અન્ય સાથે પણ પ્રેમ સંબંધો હોવાની શંકા જતાં પ્રેમીએ ગુસ્સામાં આવીને પ્રેમીકા પર કેરોસીન છાંટીને સળગાવી દીધી હતી. આ ઘટના ગઇકાલે મોડીરાત્ર બની હતી, જેમાં પ્રેમીકાનું મોત થયુ હતુ. હાલમાં કતારગામ પોલીસે આ ઘટના મામલે હત્યારા આરોપી પ્રેમીની ધરપકડ કરી લીધી છે.

ભાવેશ ઉપાધ્યાય

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.