Abtak MediaAbtak Media
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Anand
    • Aravalli
    • Banaskantha
    • Bharuch
    • Bhavnagar
    • Botad
    • Chhota Udaipur
    • Dahod
    • Dang
    • Devbhumi Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • kheda
    • Kutchh
    • Mahisagar
    • Mehsana
    • Morbi
    • Narmada
    • Navsari
    • Panchmahal
    • Patan
    • Porbandar
    • Rajkot
    • Sabarkantha
    • Surat
    • Surendranagar
    • Tapi
    • Vadodara
    • Valsad
What's Hot

આંતરરાષ્ટ્રીય મીલેટ્રસ વર્ષ અંતર્ગત 1 નવેમ્બરથી શરૂ થશે ધાન્ય પાકોની ટેકાના ભાવે ખરીદી

હવેથી સરકારી ‘કામચોર’ કર્મીઓને ઘરભેગા કરી દેવાશે

કોર્પોરેશનમાં કાલે સ્ટેન્ડિંગ: 41 દરખાસ્તો અંગે લેવાશે નિર્ણય

Facebook YouTube Instagram Twitter
  • હોમ
  • ગુજરાત
  • દેશ-દુનિયા
  • રાજકરણ

    લોકો માંગે તે પહેલા જ સરકારે કામ કરવાની નવી પરંપરા ઊભી કરી: અમિત શાહ

    30/09/2023

    હવે તામિલનાડુમાં ભાજપે એકલા હાથે લડવું પડશે !

    26/09/2023

    કોંગ્રેસના આઠ સિનિયર નેતાઓને લોકસભાની 26 બેઠકોેની જવાબદારી

    25/09/2023

    આમ આદમી પાર્ટીનો સાથ છોડી યુવા સમિતિએ કોંગ્રેસનો પંજો પકડ્યો

    23/09/2023

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે મંગળવારે સાંજે ગુજરાતમાં આવશે

    23/09/2023
  • ક્રાઇમ
  • રમત જગત
Facebook YouTube Instagram Twitter
Abtak MediaAbtak Media
LIVE TV E-PAPER
TRENDING
  • ધાર્મિક
  • શિક્ષણ
  • એન્ટરટેનમેન્ટ
  • તહેવાર
  • લાઈફસ્ટાઇલ
  • ઓફબીટ
Abtak MediaAbtak Media
You are at:Home»Gujarat News»સુરત: ઈસ્કોન મંદિરમાં મહિલાની અખંડ શ્રધ્ધા, છેલ્લા 10 વર્ષથી બનાવે છે ભગવાન જગન્નાથના રથ માટે બનાવે છે વિશેષ ઘુમ્મટ
Gujarat News

સુરત: ઈસ્કોન મંદિરમાં મહિલાની અખંડ શ્રધ્ધા, છેલ્લા 10 વર્ષથી બનાવે છે ભગવાન જગન્નાથના રથ માટે બનાવે છે વિશેષ ઘુમ્મટ

By ABTAK MEDIA11/06/20222 Mins Read
Share Facebook Twitter WhatsApp
Share
Facebook Twitter WhatsApp

સુરતના ઈસ્કોન મંદિર દ્વારા ભગવાન જગન્નાથની યાત્રાની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મંદિર દ્વારા રથયાત્રા માટે આયોજન આગામી 1 જુલાઈના રોજ કરવામાં આવ્યું છે. મંદિરમાં ભગવાન જગન્નાથની યાત્રા માટે તડામાર તૈયારીઓ થઈ રહી છે. સુરતના ઈસ્કોન મંદિરમાં 130 મીટર કાપડનો ઉપયોગ કરીને રથના ધુમટ બનાવવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે છેલ્લા દસેક વર્ષથી મંદિરમાં બેસી એક મહિલા રથનો ધુમટ બનાવવાનું કામ કરે છે. મોટા રથની સાથે સાથે નાના રથના ઘુમટ માટે પણ કામગીરી ચાલી રહી છે. આ રથયાત્રાને સફળ બનાવવા માટે મંદિર દ્વારા પણ અત્યારથી જ આયોજન કરવામા આવી રહ્યું છે.

ભગવાન જગન્નાથની રથયાત્રામાં ભગવાન બિરાજમાન થાય તેની ઉપર મોટો ઘુમટ બનાવવામાં આવે છે. આ ધુમટ માટે છેલ્લા સાતેક વરસથી મંદિર દ્વારા એક મહિલાને કામગીરી સોંપવામાં આવે છે. રામનગરમાં રહેતા લતા ચાવડા છેલ્લા 28 દિવસથી મંદિર કેમ્પસમાં જ રથનો ધુમટ બનાવવાની કામગીરી કરે છે. તેઓ કહે છે, તેમણે કોઈ પ્રકારના સિવણ ક્લાસ કર્યા નથી પરંતુ સંજોગોના કારણે તેઓ ટેલરીંગનું કામ કરે છે. મંદિરમાં વર્ષોથી દર્શન માટે આવે છે ત્યારે તેઓ મંદિરનો ઘુમ્મટ કાપડનો બનાવતા તે જોતા હતા અને તેઓ પણ આ કામગીરી કરી શકે તેવું વિચારતા હતા. દરમિયાન એક વખત મંદિરના સંચાલકો દ્વારા તેમને ઘૂમ્મ્ટ બનાવવાની કામગીરી સોંપવામાં આવી છે.

તેઓ કહે છે, આ ઘૂમ્મ્ટ બનાવવાની કામગીરીમાં તેને 28 દિવસથી આસપાસનો સમય જાય છે. તેઓ મશીન અને સામગ્રી લઈને મંદિરે જ આવે છે અને સવારે સાડા નવથી રાત્રીના સાડા આઠ વાગ્યા સુધી કામ કરે છે. આ ઘૂમ્મ્ટની વિશેષતા અંગે તેઓ કહે છે, ઘુમ્મટ બનાવવા માટે 130 મીટર જેટલા કાપડનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઘુમ્મટની પહોળાઈ 18 ફુટની જ્યારે ઘેરાવો 50 ફૂટ નો હોય છે. આ કામગીરી ઘણી જ કઠિન છે પરંતુ ભગવાનના આર્શીવાદથી તેઓ દર વખતે સફળતાથી ઘુમટ બનાવે છે તેમાં તેમનો દીકરો પણ કેટલીક વાર મદદ માટે આવે છે.

ઇસ્કોન મંદિરના મહારાજ સરોજ પાડે કહે છે, સુરતમાં ઈસ્કોનની ભગવાન જગન્નાથની યાત્રાનું અનેરું મહત્વ છે ભગવાનને પહેરાવવા માટે વાઘા વૃંદાવનથી તૈયાર થઈને આવે છે અને અહી ફીનીશીંગ થાય છે. રથયાત્રાને વધુ સારી રીતે થાય તે માટે એક મહિના પહેલાથી આયોજન કરવામાં આવે છે.

DHARMIK dharmik news featured gujarat Gujarat news ISKCON temple ISKCON temple surat surat Surat News
Share. Facebook Twitter WhatsApp
Previous Articleમેચ રમાયા પહેલાં જ મેચ દીઠ 82 કરોડ રૂપિયા ક્રિકેટ બોર્ડની જોળીમાં: BCCIના મીડિયા રાઇટ્સ 60 હજાર કરોડ ઊભા કરશે
Next Article રાજકોટના યુવાનનું અઢી કરોડ વસુલ કરવા પાંચ શખ્સે કર્યુ અપહરણ: પોલીસે અપહૃતને છોડાવ્યો
ABTAK MEDIA
  • Website

Related Posts

આંતરરાષ્ટ્રીય મીલેટ્રસ વર્ષ અંતર્ગત 1 નવેમ્બરથી શરૂ થશે ધાન્ય પાકોની ટેકાના ભાવે ખરીદી

03/10/2023

હવેથી સરકારી ‘કામચોર’ કર્મીઓને ઘરભેગા કરી દેવાશે

03/10/2023

કોર્પોરેશનમાં કાલે સ્ટેન્ડિંગ: 41 દરખાસ્તો અંગે લેવાશે નિર્ણય

03/10/2023
Add A Comment

Comments are closed.

Top Posts

આંતરરાષ્ટ્રીય મીલેટ્રસ વર્ષ અંતર્ગત 1 નવેમ્બરથી શરૂ થશે ધાન્ય પાકોની ટેકાના ભાવે ખરીદી

03/10/2023

હવેથી સરકારી ‘કામચોર’ કર્મીઓને ઘરભેગા કરી દેવાશે

03/10/2023

કોર્પોરેશનમાં કાલે સ્ટેન્ડિંગ: 41 દરખાસ્તો અંગે લેવાશે નિર્ણય

03/10/2023

એ.એસ.આઇ.ના પુત્ર સહિત બે શખ્સોને રૂ.13 લાખનું એમ.ડી ડ્રગ્સ સપ્લાય કરનાર મુંબઈથી પકડાયો

03/10/2023

પ્રદ્યુમનપાર્ક ઝૂમાં પ્રકૃત્તિ સમિપતાનો લાખેણો લ્હાવો

03/10/2023
Stay In Touch
  • Facebook
  • YouTube
  • WhatsApp
  • Twitter
  • Instagram
Most Popular

રાજકોટના યુવાનધનને શું થયું, કેમ કોઇ કોરોના વેક્સીન લેવા જતું નથી..?

03/06/2021

ડબ્બે રઝડતું ગૌધન,…રાજકોટ મનપાના ડબ્બામાં જાણો કેટલી ગાયો ‘બંધ’ છે

19/06/2021

ઘરે બેઠા કરો આ કામ, મોદી સરકાર આપશે પગાર

08/11/2017
Our Picks

આંતરરાષ્ટ્રીય મીલેટ્રસ વર્ષ અંતર્ગત 1 નવેમ્બરથી શરૂ થશે ધાન્ય પાકોની ટેકાના ભાવે ખરીદી

હવેથી સરકારી ‘કામચોર’ કર્મીઓને ઘરભેગા કરી દેવાશે

કોર્પોરેશનમાં કાલે સ્ટેન્ડિંગ: 41 દરખાસ્તો અંગે લેવાશે નિર્ણય

Advertisement
© 2023 Abtak Media. Designed by Black Hole Studio.
  • About us
  • Privacy Policy
  • Abtak Epaper
  • Live TV

Type above and press Enter to search. Press Esc to cancel.