Abtak Media Google News

રાજકોટ રહેતા અને ખંભાળીય એપીએમસીમાં નોકરી કરતા વ્યકિત તા. 18ના રોજ અમદાવાદ તેમના પુત્રના ઘરે પાર્સલની કારમાં બેસીને જતા હતા. ત્યારે ફૂલગ્રામ પાસે આગળ જતી ટ્રકમાં કાર ઘૂસી જતા તેમનું મોત થયુ હતુ. આ બનાવની જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.

અમદાવાદના ગુરૂકૂળ રોડ પર રહેતા નમનભાઇ રાવલ પાનનો ગલ્લો ચલાવી વ્યવસાય કરે છે. જયારે તેમના પિતા, માતા અને બહેન રાજકોટમાં રહે છે. તેમના પિતા પરેશભાઇ રાવલ ખંભાળીયા એપીએમસીમાં નોકરી કરે છે. તા. 18ના રોજ રાત્રે તેઓ રાજકોટથી અમદાવાદ પાર્સલ ભરીને જતી જામનગર ટ્રાવેલ્સની વેનમાં બેસીને જતા હતા.

ત્યારે સાયલા લીંબડી નેશનલ હાઇવે પર ફૂલગ્રામ પાસે ચાલકે ગફલતભરી રીતે ચલાવી આગળ જતી ટ્રક પાછળ ઘૂસાડી દેતા પરેશભાઇને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા મોત થયુ હતુ. બનાવની જાણ થતા જોરાવરનગર પીએસઆઇ જે.આર.ડાંગર, સહિતના ધસી જઇ મૃતદેહને પીએમ માટે મોકલાયો હતો. આ બનાવની જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.