Abtak Media Google News

સુરેન્‍દ્રનગર- પ્રજ્ઞાચક્ષુ કન્‍યાઓનો ૨૫ મો લગ્‍નોત્‍સવ

મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની પ્રેરક ઉપસ્‍થિતિમાં તા.૨૧મી જાન્‍યુઆરીના રોજ પ્રજ્ઞાચક્ષુ કન્‍યાઓઓનો લગ્‍નોત્‍સવ ગૌરવપુર્ણ રીતે સંપન્‍ન થશે

મુખ્‍યમંત્રીશ્રી તેમજ મહાનુભાવો તથા દાતાશ્રીઓના હસ્‍તે સમાજને શ્રેષ્‍ઠ પ્રદાન કરનારાઓને વિવિધ એવોર્ડ- પુરસ્‍કાર આપી સન્‍માનિત કરવામાં આવશે08D5Fa27 7D65 45A0 9E41 4A8F18494707

રાજયના મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી તા.૨૧મી જાન્‍યુઆરી-૨૦૧૯ના રોજ સુરેન્‍દ્રનગર ખાતે સ્‍થિત શ્રી સી.યુ. શાહ પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવાકુંજ સંસ્‍થા આયોજીત અને રાધાકૃષ્‍ણ કરૂણા સંઘ પરિવાર મુંબઇ પ્રેરિત અંધ કન્‍યાઓના ૨૫માં લગ્‍નોત્‍સવમાં ઉપસ્‍થિત રહીને નવ દંપતિઓને શુભકામના પાઠવશે અને સમારોહમાં મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી તેમજ ઉપસ્‍થિત મહાનુભાવોના હસ્‍તે શ્રી દિપેન્‍દ્રભાઇ મનોચાને લુઇ બ્રેઇલ એવોર્ડ, શ્રી લાલજીભાઇ પ્રજાપતિને પંડીત સુખલાલજી એવોર્ડ, શ્રી ધનજીભાઇ માનવ સેવા ટ્રસ્‍ટ સમઢીયાળાને શ્રી મુ્ક્ત પંકજ ડગલી એવોર્ડ આપી સન્‍માનિત કરાશે અને દાતાશ્રીઓનું પણ સન્‍માન કરવામાં આવશે.

મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી તા.૨૧મી જાન્‍યુઆરી-૨૦૧૯ના રોજ સવારે ૯.૧૫ કલાકે ગાંધીનગરથી સુરેન્‍દ્રનગર હેલીપેડ ખાતે આવશે અને સમારોહ સ્‍થળ ખાતે જવા રવાના થશે. કાર્યક્રમ પૂર્ણ કરી ૧૦.૪૦ કલાકે હેલીપેડ ખાતેથી ખોડલધામ ખાતે જવા રવાના થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.