Abtak Media Google News

કામ ચાલુ ન થતાં લોકોમાં રોષ

સુરેન્દ્રનગર વઢવાણના ધારા સભ્ય ધનજી ભાઈ પટેલ દવારા એક કોઝવેનું ખાત મુહુર્ત એક માસ પહેલા કરવામાં આવિયું હતું. પરંતુ કામ હજુ સુધી ચાલુ નહીં થતા લોકોમાં રોષ ફેલાયો છે. સુરેન્દ્રનગર જીલ્લા મા હાલ નગરપાલિકા દવારા કરોડો રૂપિયા નાં વિકાસ ના કામો ચાલુ છે ત્યારે સુરેન્દ્રનગર થી વઢવાણ જતાં ભોગાવો નદી પર ૩ કરોજવે આવેલા છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા મા આગલા વર્ષે ખૂબ સારો વરસાદ પડ્યો હતો.ત્યારે વરસાદ ના કારણે ભોગાવો નદી મા ખૂબ પાણી પણ આવિયું હતું. ત્યારે આ પાણી ના માર ને કારણે આ ત્રણેય ક્રોઝવે પાણી માં ધોવાયા હતા.  ત્યારે સુરેન્દ્રનગર નગરપાલિકા દવારા એમ પી શાહ સામે આવેલો કરોજવે નવો બનાવવા મા આવિયો છે.ત્યારે અત્યારે રાજ હોટલ થી જોરાવરનગર અને રતનપર ને જોડતો અને ભોગવો નદી પર થી પસાર થતો ક્રોજવે આગલા વર્ષે સારા વરસાદ ને કારણે ધોવાયો હતો.ત્યારે આ પુલ નું નવીની કરણ કરવા માટે ધનજી ભાઈ પટેલ દવારા એક માસ પૂર્વે ખાત મુહૂર્ત કરવા મા આવિયું હતું.

ત્યારે એક માસ બાદ પણ કોઈ કામ ચાલુ નાં થતાં જોરાવરનગર અને રતનપર ના લોકો મા રોસ ફેલાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.