Abtak Media Google News

ભારત સરકારની પહેલ “લોકલ ફોર વોકલ” અને રેલવે મંત્રાલયના સહયોગથી ,ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (આઇઆરસીટીસી) રીજીનલ ઓફિસ, અમદાવાદ દ્વારા  સાઉથ ઇન્ડિયા ડિવાઇન ટુરિસ્ટ ટ્રેન નું બુકિંગ શરુ થઇ ગયું છે. આ ટુર રાજકોટથી રવાના થશે અને રાજકોટ પરત ફરશે. આ ટ્રેનમાં મુસાફરો સાઉથ  ઇન્ડિયા ડિવાઇન ની યાત્રા માં જોડાવા  વાળા યાત્રાળુ સાબરમતી,વડોદરા, કલ્યાણ,અને પુણે  સ્ટેશનથી  બેસી શકશે આઇઆઇસીટીસી પ્રવક્તા એ જણાવ્યું કે 24 જાન્યુઆરી  ના રોજ દક્ષિણ દર્શન ટૂર માં મુસાફરોને રામેશ્વરમ, મદુરાઇ, ક્ધયાકુમારી, તિરૂપતિ માટે લઈ જવામાં આવશે.

આ પેકેજ માં ટ્રેન ટિકિટ, ભોજન (ચા-નાસ્તો, લંચ અને ડિનર), માર્ગ પરિવહન માટે બસની વ્યવસ્થા, ધર્મશાળા આવાસ/રૂમની સુવિધા ટૂર એસ્કોર્ટ, કોચ સિક્યુરિટી ગાર્ડની સુવિધા, હાઉસકીપિંગ અને જાહેરાતની સુવિધા માહિતી માટે ઉપલબ્ધ હશે. આ પ્રવાસી ટ્રેન રાજકોટથી નીકળી રાજકોટ પરત ફરશે.વધુ માહિતી અને બુકિંગ  માટે www.irctctourism.com પર લોગ ઇન કરો અથવા 079-26582675, 8287931718, 9321901849, 9321901851, 9321901852 પર સંપર્ક કરો. આ સિવાય મુસાફરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ આઇ.આર.સી.ટી.સી. ઓફિસમાંથી અને અધિકૃત એજન્ટો પાસેથી પણ બુક કરાવી શકે છે.

મુસાફરોના બજેટને ઘ્યાને રાખી આઇ.આર.સી.ટી.સી. ટુરિસ્ટ ટ્રેન (સાઉથ ઇન્ડિયા ડિવાઇન) ટ્રેન તા. ર4 થી 1 ફેબ્રુઆરી દરમિયાન ટુરિસ્ટોને રામેશ્ર્વર, મદુરાઇ, કન્યાકુમારી, તિરૂપતિનો પ્રવાસ કરાવશે.

કોવિડ પ્રોટોકોલને પગલે આઇ.આર.સી.ટી.સી.એ જણાવ્યું કે, મુસાફરોએ “કેન્દ્ર સરકારના રસીકરણ કાર્યક્રમમાં” ભાગ લેવો જોઈએ અને વહેલી તકે રસીકરણ કરાવવું જોઈએ અને કોવિડથી સુરક્ષિત રહેવું જોઈએ. આ યાત્રાઓ તમામ કોવિડ નિયમોને ધ્યાનમાં રાખીને આયોજિત કરવામાં આવી રહી છે. મુસાફરોની સલામતી માટે, તમામ મુસાફરોની ટ્રેન દ્વારા મુસાફરી શરૂ કરતા પહેલા થર્મલ સ્ક્રિનિંગ કરવામાં આવશે, “આરોગ્ય-સેતુ” એપ ડાઉનલોડ કરવાનું સુનિશ્ચિત કરવામાં આવશે. ટ્રેનના કોચ અને મુસાફરોનો સામાન સેનિટાઇઝ કરવામાં આવશે. ટ્રેનમાં પ્રાથમિક સારવારની વ્યવસ્થા ઉપલબ્ધ રહેશે અને જરૂર પડશે તો રેલવે ડોક્ટરની પણ માંગણી મુજબ નજીકના સ્ટેશન પર વ્યવસ્થા કરવામાં આવશે. જો કોઈ મુસાફર અસ્વસ્થ બને છે, તો એક અલગ કોચની પણ વ્યવસ્થા રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.