Abtak Media Google News

રામ, શ્યામ અને ધનશ્યામ મહારાજનો વાર્ષિક પાટોત્સવ, અન્નકુટોત્સવ, શાકોત્સવ, શીક્ષાપત્રી  પુજન અને ૬૦૦ કિલો ગુલાબના ફુલોથી ઠાકોરજીના પુજન સહિતનાં કાર્યક્રમો યોજાયા

આજથી બસો વર્ષ પૂર્વ ભગવાન સ્વામિનારાયણ અને સંતો જયારે અમદાવાદ પધારતા ત્યારે રસ્તામાં આવતી અડાલજ વાવમાં પાંચસો પરમહંસો અને ભગવાન સ્વામિનારાયણ ઘણીવાર સ્નાન કરતા તે ઐતિહાસિક અડાલજ વાવના પવિત્ર જળને રામ, શ્યામ અને ધનશ્યામ મહારાજના વાર્ષિક પાટોત્સવ પ્રસંગે, દર્શનમ સંસ્કૃત મહાવિદ્યાલયનાં ઋષિકુમારો, એસજીવીપીના વિદ્યાથીઓ અને સંતો પગપાળા કાવડ મારફતે લાવી ગુરુકુલમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી.

ત્યારબાદ બીજે દિવસે વસંતપંચમી શિક્ષાપત્રીના પૂનિત પર્વે સામુહિક શિક્ષાપત્રી પૂજન કરવામાં આવ્યા બાદ ભગવાનને વૈદિક મંત્રો સાથે ગંગાજળ, તમામ ઔષધિઓના રસ, ફળોના રસ, સપ્તનદીઓના જળ, પંચગવ્ય વગેરેથી ઘનશ્યામ મહારાજને અભિષેક કરવામાં આવ્યો હતો.

તેમજ ૬૦૦ કિલો ગુલાબના ફુલોની પાંખડીઓથી પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી, પુરાણી ભકિતપ્રકાશદાસજી સ્વામી અને પુરાણી હરિસ્વ‚પદાસજી સ્વામીના હસ્તે મૂર્તિઢગ ઠાકોરજીનું પુજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ ૧૧૧ વાનગીઓનો અન્નકુટ ઠાકોરજીને ધરાવી, અન્નકુટનો પ્રસાદ ગરીબોને વહેંચવામાં આવ્યો હતો.

આ પ્રસંગે વિદેશ યાત્રાએ ગયેલા પૂ.માધવપ્રિયદાસજી સ્વામીએ ટેલિફોનથી જણાવ્યું હતું કે, આજે તો વસંત પંચમી. આજનો દિવસ અતિ મહત્વનો છે. આજના દિવસે ભગવાન શ્રી સ્વામિનારાયણે સર્વ જીવહિતાવહ શિક્ષાપત્રીનું લેખન કરેલ છે. આપણે શિક્ષાપત્રી પ્રમાણે વર્તીએ તો આલોક અને પરલોકમાં સુખી થઈએ. આપણા જીવનમાં પાનખરને બદલે વસંત ખીલે, આપણું જીવન હરિયાળું બને, પ્રેમની ધારા પ્રગટે અને ભકિતના પુષ્પો ખીલે એજ પ્રાર્થના છે. આ પ્રસંગે પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી, શામજીભગત અને ભાગવત કથાકાર જીજ્ઞેશદાદાએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.