Abtak Media Google News

સેલવાસના લવાછામાં બ્રહ્મર્ષિ સ્થળ પર ભકિતપૂર્ણ માહોલમાં રામલલા મંદિરનું ભૂમિપૂજન નાગેન્દ્રસિંહની આગેવાનીમાં કરવામાં આવ્યું. ઉપસ્થિત બધા મહાનુભાવોને વિધિ પૂર્વક પૂજા અર્ચના કરી ત્યારબાદ પ્રાંગણમાં સ્થાપિત કરાયેલા માં શારદાની પ્રતિમાનું પૂજન આરતી કરી.

આ અવસર પર નાગેન્દ્રસિંહ શાંતિ તેમજ શ્રધ્ધા સાથે બધાને સંગઠીત થવાનીવાત કરી. તેમણે કહ્યું કે બ્રહ્મર્ષિ સમાજના લોકોનાં સહયોગથી આ બ્રહ્મર્ષિ ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ભવન સર્વ સમાજના લોકો માટે ઉપયોગમાં લેવાશે.આ કાર્યક્રમમાં નાગેન્દ્રસિંહ સહિત પી.પી. રાય, આરબીસિંહ, શિવકુમાર સિંહ, બચ્ચન ચાચા, અશોક ઠાકુર, મનોજ ઠાકુર, વી.કે. ત્રિપાઠી, સંજય રાય, સંજીવ રાય સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.