Abtak Media Google News

ખંભાળીયા તાલુકાના ૫૭ જેટલા અને દેવભૂમિ દ્વારકા જીલ્લાના ૧૬૭ જેટલા તલાટી કમ મંત્રીઓ દ્વારા સોમવારથી કામનો બહિષ્કાર કરી અચોકકસ મુદત માટે હડતાલ ઉપર ઉતર્યા છે. તેઓના યુનિયન દ્વારા તેઓના પડતર પ્રશ્ર્ન અંગે બે વખત આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેથી ગુજરાત સરકાર તેમના પ્રશ્ર્નોથી વાકેફ હોવા છતાં એ પ્રશ્ર્નોને હાથમાં લેવામાં આવતા નથી. આંદોલનકારીઓ દ્વારા આ સાથે જુદા જુદા આંદોલાત્મક કાર્યક્રમ આપવામાં આવનાર છે. એક દિવસ બાદ સરકારને સતબુઘ્ધિ પ્રાપ્ત એ માટે સત્યનારાયણ ભગવાનની કથા પણ કરવામાં આવનાર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.