Abtak Media Google News

લદ્દાખના ગલવાનમાં 15 જૂને ભારત અને ચીન સૈનિકો વચ્ચે ઝપાઝપી થયા પછી શુક્રવારે એક નવી વાત સામે આવી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ચીનની સેનાએ ભારતના 10 જવાનોને બંધક બનાવી દીધા હતા.

Advertisement

ગુરુવારની વાતચીત પછી તેમને છોડી દેવામાં આવ્યા છે. જોકે આ વિશે સેના તરફથી કોઈ ઔપચારિક નિવેદન આપવામાં આવ્યું નથી.

ગલવાન ઘાટીમાં સોમવારે રાતે ભારત અને ચીનના સૈનિકો વચ્ચે હિંસક ઝપાઝપી થઈ હતી. તેમાં ભારતના 20 જવાન શહીદ થયા હતા. ચીનના પણ 40 સૈનિકોના મોત થયા છે. તેમાં યૂનિટ કમાન્ડર ઓફિસર પણ સામેલ છે.આ ઓફિસર એ જ ચીની યૂનિટના હતા જેણે ભારતીય જવાનો સાથે હિંસક ઝપાઝપી કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.