જામનગર તાલુકાના અલિયા તથા ખીલોસ ગામના ચેકડેમની મરામત માટેની જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ વશરામભાઈ રાઠોડની રજૂઆતને સફળતા સાંપડી છે. ગ્રામજનોની સતત મળતી રજૂઆત અન્વયે વશરામભાઈ રાઠોડ દ્વારા જિલ્લા વિકાસ અધિકારી, મુખ્યમંત્રી વગેરે સુધી રજૂઆત કરવામાં આવી હતી. આખરે સુજલામ સુફલામ યોજના રેસ્ટોરેશન ઓફ સ્ટ્રેન્થનીંગ ઓફ ડેમેજ ચેકડેમ અન્વયે રૃપિયા ૧૪ લાખ ર૯ હજારના ખર્ચને સિંચાઈ વિભાગ દ્વારા મંજુરી આપવામાં આવી છે. ઉપરાંત ખીલોશ ગામ નજીકના ચેકડેમ માટેની રજૂઆત અન્વયે રૃા. ૩ લાખ ૩ હજારનું ખર્ચ મંજુર કરવામાં આવ્યુંછે. આમ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખની રજૂઆતને સફળતા મળી છે.
Trending
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ
- ગાંધીનગરના પીપળજમાંથી ડ્રગ્સની ફેક્ટરી ઝડપાતા ખળભળાટ : 25 કિલોથી વધુ એમડી ડ્રગ્સ જપ્ત