જમ્મુ-કાશ્મીરના પુલવામાં સુરક્ષા દળો પર આતંકી હુમલો થયો હતો. પંપોરના કાંધીજલ બ્રિજ પર સીઆરપીએફની ૧૧૦ બટાલીયન અને જમ્મુ-કાશ્મીર પોલીસના જવાનો રોડ ઓપનીંગ ડ્યુટી (આરઓપી) કરતા હતા ત્યારે આતંકીઓએ આડેધડ ગોળીબાર શરૂ કરી દીધો હતો. આ હુમલામાં બે જવાન શહીદ થયા હતાં. એમાંય જવાનો ઘવાયા હતા. સમગ્ર વિસ્તારને ઘેરી લઈ શોધકોળ અભિયાન હાથ ધરાયું છે.મળતી પ્રાથમિક માહિતી મુજબ જમ્મુ-કાશ્મીર હાઈવે પર પુલવામા જિલ્લાના પેમ્પોરમાં કાંધીજલ બ્રિજ ખાતે રસ્તો ખુલ્લો રાખવાની સીઆરપીએફના જવાનોની ટુકડી ફરજ બજાવી રહી હતી ત્યારે આતંકીઓએ હુમલો કરી ગોળીબાર કર્યો હતો. આતંકીઓના આ હુમલામાં પાંચ સીઆરપીએફના જવાનો ઘવાયા હતા. સીઆરપીએફની ૧૧૦ બટાલીયનના જવાનો જમ્મુ-કાશ્મીર પોલીસ સાથે પુલ નજીકનો રસ્તો ખુલ્લો કરવાની કામગીરી કરતા હતા ત્યારે આ હુમલો થયો હતો. ઘવાયેલા સીઆરપીએફના જવાનોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને અને મતભેદ નિવારી શકો
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ