Abtak Media Google News

થાનગઢમાં ધોલેશ્વર ફાટક રેલ્વે સિગ્નલ પાસે ટ્રેનની અડફેટે આવતા વૃદ્ધ વ્યક્તિનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ બાબતની જાણ જયારે નજીક આવેલા ફાટક પરના ગેટમેન જ્યંતિભાઈને થતા તાતકાલિક ધોરણે રેલવે પોલીસને જાણ કરી હતી. થાનગઢ રેલવે પોલીસને જાણ થતા તે ઘટના સ્થળે પહોંચી હતી.

રેલ્વે પોલીસ દ્વારા ઘટના સ્થળના આજુ-બાજુના વિસ્તારમાં તપાસ કરવામાં આવી હતી. તપાસમાં જાણવા જાણવા મળ્યું કે આ વૃદ્ધ માણસનું નામ બાબુભાઈ ગંગારામ શ્રીમાળી છે. જેમની ઉંમર 70 વર્ષ છે. તેઓ થાનગઢમાં મારુતિ નંદન સોસાયટીમાં રહેતા હોવાનું જાણવા મળ્યું છે.

રેલ્વે પોલીસે વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે તો ઘણા સમયથી મગજની બીમારીના કારણે અસ્થિર મગજના હોવાનું જાણવા મળ્યું હતું. જેના કારણે રેલવે પાટક ઓળગતા ટ્રેનની અડફેટે આવી જતા તેમનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું આવું તેમના પરિવારનું માનવું છે. આ મામલે વધુ તપાસ રેલવે પોલીસ અધિકારી જયદેસિંહ ચલાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.