Abtak Media Google News

રંગીલા રાજકોટ શહેરમાં દિવસેને દિવસે ગુનાહખોરીની ઘટના સામે આવી રહી છે જેમાં હત્યા, લૂંટફાટ, જેવી અનેક ઘટનાઓ બનતી હોય છે. ત્યારે જંગલેશ્વરની રાધાકૃષ્ણ સોસાયટીમાં હત્યાની ઘટના સામે આવી છે જેમાં  ભાઈએ બહેનના પ્રેમીની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. હત્યાના બનાવની જાણ થતાં ભક્તિનગર પોલીસે ઘટના સ્થળે પહોચી તપાસ હાથ ધરી છે અને આરોપી ભાઈની ધરપકડ કરી છે.

શહેર પોલીસ દ્વારા ગુનાહિત પ્રવૃતિને ડામવાના અનેક પ્રયાસો હાથ ધરવામાં આવે છે. છતાં પણ અનેક એવિ ઘટનાઓ બને છે જે પોલીસની કામગીરી સામે સવાલો ઊભા કરે છે  ત્યારે ફરી એક હત્યાના બનાવે શહેર ભરમાં ચર્ચા જગાવી છે.અનેક  આવી ઘટનાઑમાં  સંબંધો રક્તરંજિત થતાં  હોય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.