Abtak Media Google News

ચીનનાં સ્વીફલેટ પક્ષી પોતાની લાળથી માળો બાંધે છે, જે ખૂબ જ સ્વાદિષ્ટ હોવાથી ચીની લોકો તેની વાનગી બનાવે છે: દુનિયામાં એક માત્ર પેંન્ગ્વીન તેની પાંખોનો ઉપયોગ ઉડવા માટે નહી તરવા માટે કરે છે

કેટલાક પક્ષીઓ અત્યંત બુધ્ધીશાળી હોય છે: પક્ષીઓ સામાજીક હોય છે, તેઓ દાર્શનિક સંકેતો, અવાજો અને ગીત ગાયને સંદેશા વ્યવહાર કરે છે, ખૂબ જ રૂપકડાં રંગબેરંગી પક્ષીઓ દુનિયાભરમાં જોવા મળે છે

બે પગવાળા સુંદર નમણા, રૂપકડાં પક્ષીઓથી અફાટ કુદરતી સૌર્દ્ય વિશ્ર્વભરમાં જંગલો ખીલી ઉઠે છે. કુદરતી વાતાવરણની વ્હેલી સવારે નયનરમ્ય પંખીઓનો કલરવ વાતાવરણને તાજગી ભરી દે છે. પક્ષીઓનો ઇતિહાસ પણ બહું રોચક છે. માનવ વસ્તી સાથે વણાયેલી પક્ષી દુનિયામાં તેમને સરળતા પાણી, ખોરાક મળી રહે તેની આસપાસ નિવાસસ્થાન કરે છે. તેની માળો બનાવવાની આવડત પણ ભિન્ન ભિન્ન જોવા મળે છે. દુનિયાભરમાં સુઘરીના માળા જેવી ગુંથણી બીજે ક્યાંય જોવા ન મળે તો આફ્રિકન ગ્રે પોપટ દુનિયામાં સૌથી વધુ બોલતા પોપટ છે તે 450 શબ્દો યાદ રાખે છે ને માણસ જેવા અવાજથી ટૂંકા શબ્દો બોલે છે.

પક્ષીએ ગણ ગણતા વર્ગનું, ઉડી શકતું બે પગવાળું ગમે તે વાતાવરણથી ઘડાયેલ કરોડ ધરાવતુ પ્રાણી છે. જે ઇંડા મુકે છે અને પોતાની ગરમીથી ઇંડાને સેવવાની પ્રક્રિયા  કરે છે. હાલ વિશ્ર્વમાં દશ હજારથી વધુ પક્ષીઓની પ્રજાતિઓ છે. આ પક્ષીઓ શારીરીક ક્ષમતા મુજબ ઇકો સીસ્ટમમાં વસવાટ કરે છે. તેના કદ બે ઇંચથી 10 ફૂટના જોવા મળે છે. પૃથ્વી તમામ સાતેય ઉપખંડોમાં પક્ષીઓ જોવા મળે છે. અમુક પક્ષીઓ ઋતુ પ્રમાણે લાંબા કે ટૂંકાગાળાનું સ્થળાંતર કરે છે. અમુક તો પ્રજનન અને વંશવૃધ્ધી માટે હજારો કિલોમીટર દૂર સ્થળાંતર કરીને ફરી મૂળ સ્થાને જાય છે. પક્ષી ક્યારેય રસ્તો ભૂલતું નથી.

આજથી 200 વર્ષ પહેલા જ્યુરાસિકના ગાળા દરમ્યાન પક્ષી જેવા પગવાળા ડાયનાસોરથી વિકસતી આવી છે. સંશોધનમાં જોવા મળ્યું છે કે 150 વર્ષ પહેલા મૃત જ્યુરાસિક આર્કા ઓપ્ટેરિક્સ પક્ષી જ હતું. આ જૈવિક જૂથો કરોડો વર્ષો પહેલા ભૂસ્તર યુગમાં 65.5 કરોડ વર્ષ પહેલા અસ્તિત્વ ધરાવતા હતા. તેથી મોટા ભાગના પક્ષી શાસ્ત્રીઓ તેને પક્ષી તરીકે ઓળખે છે.

આધુનિક પક્ષીઓ પીંછા, દાત વિનાની ચાંચ, કઠોર આવરણ વાળા ઇંડાઓના મુકવાથી, ચાર છીદ્રોવાળા હૃદ્ય સાથે હળવા પણ મજબૂત હાડપિંજરની રીતે અલગ પડે છે. મોટા ભાગના પક્ષીઓ ઉડવા માટે પાંખ ધરાવે છે. અમુક અપવાદમાં પેન્ગ્વિન અને બીજી પ્રકારનાં આઇલેન્ડ પર જોવા મળે છે.

પક્ષીઓ વિશિષ્ટ પ્રકારની પાચન અને શ્ર્વસનક્રિયા ધરાવે છે. પક્ષીઓ સામાજીક હોય છે તેઓ દાર્શનિક સંકેતો અવાજો અને ગીત ગાયને સંદેશા વ્યવહાર કરે છે. તે સહકાર યુક્ત સંવર્ધન અને શિકાર કે લૂંટફાટ માટે ટોળામાં રહે છે. આજે પક્ષીઓની વિવિધ જાતો લોકો પાળતા થયા છે. જેમાં તેની પાસેથી વિશિષ્ટ પ્રકારના કરતબ પણ કરાવાય છે. કબૂતરનો સંદેશાવાહક તરીકે સૌથી વધુ ઉપયોગ કરાયો છે. ખાતરમાં તેના ચરકનો ઉપયોગ થાય છે.

પક્ષીઓ આપણી માનવ સંસ્કૃતિના તમામ પાસાઓ જેવા કે ધર્મ, કવિતા, સંગીત વિગેરેને આવરી લેવાયા છે. પ્રાચિન યુગના રેખા ચિત્રોમાં પક્ષીઓ જોવા મળે છે. 17મી સદી અને તેનાથી આગળના 100 વર્ષોેમાં માનવીય ગતિવિધિને કારણે 130 જેટલી પક્ષીની જાતો નામશેષ થઇ. હાલમાં પણ 1200 જેટલી પક્ષી પ્રજાતિ ઉપર લુપ્ત થવાનું જોખમ કે રેડ કોર્નર છે. તેમના વર્ગીકરણ કામ 1676થી થઇ રહ્યું છે. 1758માં નવીન સુધારા કરાયા હતાં. પક્ષીઓની સૌથી વધુ વસ્તી, વૈવિધ્યતા એન્ટાર્કટિકાના 440 કિલોમીટરમાં જોવા મળે છે.

અમુક પક્ષીઓએ પાણી અંદર અને બહાર એમ બંને પ્રકારનાં જીવન અપનાવ્યા છે. વિશ્ર્વભરનાં સમુદ્ર કિનારે ઘણી મોટી પ્રજાતિઓ વસવાટની સાથે વંશવૃધ્ધિ કરે છે. વાતાવરણ સાથે અનુકૂળતા હાંસલ કરીને બચ્ચાની આવા વાતાવરણમાં માવજત કરવામાં તેની મહારત આવી ગઇ છે. ગોળાકાર ગર્દન ધરાવતું તેતર આખા વિશ્ર્વમાં ગેઇમ બર્ડ તરીકે રજૂ કરાયું છે. પ્રારંભે કેટલાય મોટા બર્ડ અન્ય વાતાવરણમાં વિકસીત થયા તો તેના કદ નાના પણ થતાં જોવા મળ્યા છે. પક્ષીઓની અમુક પ્રજાતિઓ બુલેટની ગોળી જેવી ઝડપ ધરાવે છે.

કેટલાક તો ઉડાન સાથે ખોરાકને ઝડપથી પાચન કરવા ટેવાયેલા હોય છે.પક્ષીઓ શ્ર્વાસ લેતી વખતે 75 ટકા તાજી હવાને ફેફ્સામાંથી પસાર કરે છે. અત્યંત સુવિકસીત ભાગ મગજનો હોય છે. જે તેને ઉડવામાં મદદ કરે છે. મોટા ભાગના પક્ષી સુંઘવાની નબળી ક્ષમતા ધરાવે છે. જળ પક્ષીઓની કિકી નાની હોવાથી હવા અને પાણીમાં યોગ્ય દ્રષ્ટિ પુરી પાડે છે. ઘુવડની આંખની રચનાને કારણે પહોળું દાર્શનિક ક્ષેત્ર ધરાવે છે. પક્ષીઓ નર-માદા એમ બે જાતિમાં વહેંચાયેલ છે.

પક્ષીઓના પીંછા તેના શરીરના આવરણ માટે સાથે ઉડવામાં મદદ કરે છે. તેની ગોઠવણ, દેખાવને કારણે વધુ રૂપકડું લાગે છે. દર વર્ષે પીંછા બદલાય છે. પક્ષીઓ પોતાની ચાંચ વડે લગભગ શરીરના તમામ સ્થળેથી સ્વચ્છતા કરવા સમર્થ હોય છે. તે ચાંચ દ્વારા જ પીંછા સાફ કરે છે. આખા પક્ષીઓ દિવસમાં જ જોવા મળે છે, અપવાદમાં ઘુવડ, નાઇટ જાર જેવા નિશાચર પક્ષીઓ રાત્રે જોવા મળે છે.પક્ષીઓના અલગ-અલગ ખોરાક હોય છે. મોટેભાગે  ફળ, છોડ, બી, મઘ, નાના જીવજંતુ કે પ્રાણીઓ ખાય છે.

પક્ષીઓ દાંત ન હોવાથી તેમની પાચન વ્યવસ્થા ખોરાકને ચાવ્યા વગર ગળી શકે તેવી અનૂકુળ હોય છે. પક્ષીઓને ખોરાકની સાથે પાણીની જરૂરિયાત પણ હોય છે. કેટલાય પક્ષીઓ રોકાણ વગર 10 હજારથી વધુ કિલોમીટર ઉડવાની ક્ષમતા ધરાવે છે. લાંબાગાળાના સ્થળાંતર કરનાર પક્ષીઓ 64000 કિલોમીટરનો પ્રવાસ ખેડે છે. અમુક તો તેના નિવાસના ખરાબ વાતાવરણે અન્ય સ્થળાંતર કરીને ફરી તે જ સ્થળે આવી જાય છે.

અમુક પક્ષીઓ તેના સ્થળે દૂર મૂકીને પ્રયોગ કરતાં માત્ર 13 દિવસમાં 5000થી વધુ કિલોમીટરનો પ્રવાસ ખેડીને પરત મૂળસ્થાને આવી ગયું હતું. તેઓ રાત્રીના તારા અને દિવસે સૂર્યની ગતિવિધીને આંતરિક ઘડિયાલની જેમ ઉપયોગ કરે છે. મોટાભાગના પક્ષીઓ સુતી વખતે તેનું માથુ પાછળના ભાગમાં દબાવી દે છે.

પક્ષી રસ્તો ક્યારેય ભૂલતું નથી !!

શારીરીક ક્ષમતા મુજબ ઇકો સીસ્ટમમાં પક્ષીઓ વસવાટ કરે છે. તેમનું કદ બે ઇંચથી 10 ફૂટ સુધી જોવા મળે છે. અમુક પક્ષીઓ ઋતુ પ્રમાણે ટૂંકુ કે લાંબુ સ્થળાંતર કરે છે, અમુક તો પ્રજનન અને વંશ વૃધ્ધિ માટે હજારો કિલોમીટર દૂર સ્થળાંતર કરીને ફરી મૂળ સ્થાને પરત આવે છે, પક્ષી રસ્તો ક્યારેય ભૂલતું નથી.

પક્ષી જગતની રોચક વાતો

  • શિકારી પક્ષીઓ એકબીજાની હદમાં અને એકબીજાને દેખાય નહીં તે રીતે માળો બાંધે છે.
  • લક્કડ ખોદની જીભ તેની ચાંચ કરતા ચાર ગણી મોટી હોય છે.
  • અમુક પક્ષીઓ માળો બાંધતા જ નથી તે ઝાડની બખોલ કે પહાડોની ભેખડમાં ઇંડા મૂકે છે.
  • પેન્ગ્વીન તેની પાંખોનો ઉપયોગ ઉડવા માટે નહીં પણ તરવા માટે કરે છે.
  • ચીનના સ્વીફટલેટ પક્ષી પોતાની લાળથી માળો બાંધે છે. જે ખૂબ જ સ્વાદિષ્ટ હોવાથી ચીનના લોકો તેની વાનગી બનાવે છે.
  • ગોલ્ડ ઇગલ વૃક્ષની ટોચે સૌથી મોટો માળો બાંધે છે જે ત્રણ મીટર વ્યાસની સાથે છ મીટર ઊંડો હોય છે.
  • હિમાલયનું દાઢીવાળું ગીધ ભારતના તમામ પક્ષીઓ કરતાં સૌથી વધુ પાંખનો ફેલાવો ધરાવે છે.
  • હીલ મેના ભારતના તમામ પક્ષીઓ કરતા સૌથી વધુ વાતુ કરે છે.
  • આફ્રિકન ગ્રે નામનો પોપટ વિશ્ર્વની સૌથી બોલતી પ્રજાતિ છે. આ પોપટ 450 થી વધુ શબ્દો બોલી શકે છે, યાદ રાખી પણ શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.