Abtak Media Google News

માન.મંત્રી  પ્રદીપભાઇ પરમાર એ આજરોજ સોમનાથ મહાદેવના દર્શન, જલાભિષેક, સોમેશ્વર મહાપૂજન કરી  સોમનાથ મહાદેવના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી. સોમનાથ ટ્રસ્ટના   પુજારી  દ્વારા તેઓ નું સ્વાગત સન્માન કરવામાં આવ્યું

દેશના માન.વડાપ્રધાન તેમજ શ્રી સોમનાથ ટ્રસ્ટના માનનીય અધ્યક્ષ  નરેન્દ્રભાઇ મોદી ના જન્મદિને  પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર ખાતે  મહાપૂજા સોમનાથ ટ્રસ્ટના માન.ટ્રસ્ટી જે.ડી.પરમાર સાહેબ ના હસ્તે કરવામાં આવેલ. જેમાં સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર તેમજ અધિકારી/કર્મચારીઓ ઉપસ્થિત રહેલ.વિશેષમા 121 રુદ્રીના પાઠ અને તેઓના નિરામય આરોગ્ય અને   દીર્ઘાયુષ્ય માટે   તીર્થ પુરોહિતો દ્વારા આયુષ્યમંત્ર જાપ, તથા રાષ્ટ્સુક્ત મંત્ર પઠન કરવામાં આવેલ.તેમજ બ્રાહ્મણભોજન પણ  કરાવવામાં આવેલ. માન.સેક્રેટરી શ્રી તથા સર્વે ટ્રસ્ટી ઓ તેમજ ટ્રસ્ટ પરિવાર તરફથી માન. અધ્યક્ષ નરેન્દ્રભાઇને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

Whatsapp Image 2022 09 17 At 4.15.54 Pm

આ પ્રસંગે સોમનાથ મંદિર ખાતે આવેલ સમુદ્ર કિનારે સ્વચ્છતા અભિયાન યોજવામાં આવેલ હતું. જેમાં સોમનાથ ટ્રસ્ટના અધિકારીશ્રીઓ,કર્મચારીઓ, સ્થાનિક વહીવટીતંત્ર ના અધિકારીઓ,કર્મચારીઓ,નગરપાલિકા ટ્રસ્ટની ન્યુટેક એજન્સી,પોલિસ કોસ્ટગાર્ડ, વિદ્યાર્થીઓ જોડાયેલા હતા.

Whatsapp Image 2022 09 17 At 4.15.57 Pm

 

સોમનાથ ટી.એફ સી  ખાતે માન. અધ્યક્ષ ના જન્મદિને  તેમના જીવનના મહત્વના ફોટોગ્રાફ  પેન્સિલ સ્કેચ પ્રદર્શની  સોમનાથ ટ્રસ્ટના માન.ટ્રસ્ટી જે.ડી.પરમાર સાહેબ ના હસ્તે  દીપ પ્રાગટ્ય બાદ ખુલ્લી મુકવામાં આવેલ.જેમાં. સોમનાથ ટ્રસ્ટના અધિકારીશ્રીઓ,કર્મચારીઓ ,સોમનાથ સંસ્કૃત પાઠશાળા ના બાળકો પણ  ઉપસ્થિત રહેલ હતા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.