Abtak Media Google News

હાઈવેથી  ૫૦૦ મીટરના અંતરે દારૂબંધીના નિર્ણય અંગે ફેર વિચારણા કરવા માંગ

નેશનલ હાઈવે અને સ્ટેટ હાઈવેના ૫૦૦ મીટરના વિસ્તારમાં દા‚ના વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવતા હોટલ ઉદ્યોગ આ બાબતે સરકારનો હસ્તક્ષેપ ઈચ્છી રહી છે. સરકારે આ નિર્ણય નેશનલ હાઈવે અને રાજયના હાઈવે ઉપર અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા માટે કર્યો છે તો બીજી તરફ હોટલના ઉદ્યોગપતિઓનું કહેવું છે કે, સરકારના આ નિર્ણયને કારણે પ્રવાસન ઉપર અસર પડી રહી છે તેી સરકારે આ બાબતે હસ્તક્ષેપ કરવો જોઈએ.

હોટલ એન્ડ રેસ્ટ્રોરન્ટ એસોસીએશન ઓફ ઈન્ડિયાએ આ બાબતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર પણ લખ્યો છે અને ૫૦૦ મીટરના વિસ્તારમાં દા‚બંધી બાબતે યોગ્ય નિર્ણય કરવામાં આવે તેવી માંગ પણ કરી છે. દર વર્ષે ભારતમાં મોટા પ્રમાણમાં વિદેશી નાગરિકો પ્રવાસે આવતા હોવાી આ નિર્ણય યા યોગ્ય કહી શકાય નહીં તેવું રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે.

રાજયના નેશનલ હાઈવે અને કેન્દ્રના હાઈવે ઉપર તી કમાણીના ૬.૩ ટકા ભારતના ર્આકિ વિકાસમાં જાય છે ત્યારે આવા નિર્ણયને કારણે ઉદ્યોગોનો વિકાસ ‚ંધાઈ રહ્યો છે. એચ.આર.એ.ડબલ્યુ.આઈ.ના પ્રમુખ દિલીપ દતવાણીએ કહ્યું હતું કે, નેશનલ હાઈવે નજીક દા‚ના વેંચાણ પર પ્રતિબંધના કારણે હોટલ ઉદ્યોગ સ્તબ્ધ છે. રાજય સરકાર આ બાબતે ફેરવિચારણા કરે તેવી ઈચ્છા દર્શાવાઈ રહી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.