Abtak Media Google News

આચાર્ય લોકેશજીએ અમેરિકામાં જૈન સંમેલનને સંબોધિત કર્યું

જૈન આચાર્ય ડો.લોકેશજી, પૂજ્ય સાધ્વી શિલાપીજી – સંઘમિત્રાજી, પૂજ્ય સામાણી કમલ પ્રજ્ઞાજી – જિન પ્રજ્ઞાજીની પવિત્ર ઉપસ્થિતિમાં અમેરિકાના ફ્લોરિડામાં જૈન સંમેલન 2023નું આયોજન કરવામાં આવ્યું હતું. 4-દિવસીય જૈન સંમેલન એ અમેરિકામાં યોજાતો જૈનોનો કુંભ મેળો છે, જે ઉત્તર અમેરિકાના જૈન ફેડરેશન દ્વારા દર બે વર્ષે એકવાર યોજવામાં આવે છે. અહિંસા વિશ્વ ભારતીના સ્થાપક જૈન આચાર્ય ડો. લોકેશજીએ મેક્સિમાઇઝિંગ હ્યુમન પોટેન્શિયલ: ધ જૈન વે વિષય પર સંબોધન કરતાં જણાવ્યું હતું કે જૈન ધર્મ એ ભગવાન મહાવીરના સિદ્ધાંતો અને ફિલસૂફી પર આધારિત એક વૈજ્ઞાનિક ધર્મ છે. ભગવાન મહાવીર આધ્યાત્મિક મહાપુરુષની સાથે સાથે મનોવિજ્ઞાની અને વૈજ્ઞાનિક પણ હતા. વૈજ્ઞાનિકો પ્રયોગશાળામાં સાધનો દ્વારા સંશોધન કરે છે.

ભગવાન મહાવીરે પોતાના શરીરને પ્રયોગશાળા બનાવી હતી. તેમણે જ્ઞાન, ધ્યાન અને તપ દ્વારા સત્યની શોધ કરી.તેમની 2600 વર્ષ પહેલાની ઘોષણા કે આપણે જે બોલીએ છીએ તે સમગ્ર બ્રહ્માંડમાં ફેલાય છે. છોડને પણ આપણી જેમ ચેતના હોય છે. આહાર અને આધ્યાત્મિકતા વગેરે વચ્ચે ઊંડો સંબંધ છે. જૈન ધર્મ દ્વારા અનેક વૈશ્વિક સમસ્યાઓનું નિરાકરણ શક્ય છે.આચાર્ય લોકેશજીએ સંબોધન કરતાં કહ્યું કે જન્મ એ ભાગ્ય છે પરંતુ જીવન કેવી રીતે જીવવું તે આપણી વિવેકબુદ્ધિ અને પ્રયત્નો પર આધારિત છે. એક વ્યક્તિ ધ્યેય વગર જીવે છે, પોતાની જરૂરિયાતો પૂરી કરે છે અને દુનિયા છોડી દે છે જ્યારે બીજી વ્યક્તિ હકારાત્મક વિચારસરણી સાથે હેતુપૂર્ણ જીવન જીવે છે અને સમાજ અને દુનિયાને ઘણું બધું આપીને વિદાય લે છે. તેમના ગયા પછી પણ દુનિયા તેમને સદીઓ સુધી યાદ કરે છે.

જૈન જીવનશૈલી આપણને સ્વસ્થ, સુખી અને આનંદી જીવનનો મૂળ મંત્ર આપે છે. ફ્લોરિડાના આરપી ક્ધવેન્શન સેન્ટર ખાતે 30 જૂનથી 3 જુલાઈ દરમિયાન જૈન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. સંમેલનમાં તમામ વર્ગ અને વયના લોકો સાથે સંબંધિત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 5000 થી વધુ લોકોએ ભાગ લીધો હતો. જૈન સંમેલન ’જૈન ધર્મ અને વિજ્ઞાન’ થીમ પર કેન્દ્રિત હતું. ઘણા આધ્યાત્મિક ગુરુઓ, વૈજ્ઞાનિકો અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓએ આ વિષય પર પોતાના મંતવ્યો રાખીને જૈન ધર્મના સિદ્ધાંતો, મૂલ્યો અને પરંપરાને ઉજાગર કરી અને તેમનું વૈજ્ઞાનિક સત્ય રજૂ કર્યું.

ઉલ્લેખનીય છે કે જૈના 70 કેન્દ્રો દ્વારા કામ કરે છે અને 1,50,000 થી વધુ લોકો તેની સાથે જોડાયેલા છે. જૈન પ્રમુખ શ્રી હરેશ શાહ, ક્ન્વીનર   બિન્દેશ શાહ અને જૈન મંડળના સભ્યોના અથાક પ્રયાસોથી આ સંમેલન સફળતાપૂર્વક યોજાઈ રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.